SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હોળીના રંગ | ૧૦૭ બીજી બાજુ ઉત્પાદક વધુમાં વધુ નફો કરવા કમિશનનો ખર્ચ ઘટાડવા માગે છે. માલિકને ઓછામાં ઓછો મજૂરીનો દર આપવો છે, પણ બીજી બાજુ મજૂરોને વધુમાં વધુ મજૂરી જોઈએ છે. મકાનમાલિકને વધુમાં વધુ ભાડું જોઈએ છે પણ બીજી બાજુ ભાડુઆતને ઓછામાં ઓછા ભાડે મકાન જોઈએ છે. રોની : અને પૈસા વગર આજે કોઈને ચાલે એમ નથી એટલે આ ખેંચતાણ, આ કાપાકાપી તો રહેવાની જ ને? ઉપરાંત અમારી પેઢીમાં બેકારી એટલી વધતી જાય છે કે નોકરી અને તેમાંય સારા પગારની નોકરી મેળવવા માટે જબરદસ્ત હરીફાઈ છે. એમાં જીતવું હોય તો દાવપેચ ખેલવા પડે છે અને હારીએ તો હતાશ થઈ જવાય છે. પૈસા કમાવાનું ધ્યેય એટલું સર્વોપરી બની ગયું છે કે એની ખાતર દગો-ફટકો, જૂઠ-બનાવટ બધું ચલાવવામાં આવે છે. અરે એ ખોટે માર્ગે વધારે પૈસા કમાઈ શકો તો એ દુર્ગુણોને બિરદાવવામાં આવે છે! પ્રો. રાજેશ : અત્યારનું અર્થતંત્ર એ પાયા પર ઊભું થયેલું છે કે માણસ સ્વાર્થી છે. પરંતુ ખરેખર તો આપણે સ્વાર્થી નથી. ઊલટાનું ખરેખર તો આપણે પ્રેમી છીએ. આપણને સહુની પાસેથી પ્રેમ જોઈએ છે અને બીજાઓને પણ આપણી પાસેથી પ્રેમ જોઈએ છે. રીની : આપણે સ્વાર્થી પણ છીએ તો ખરા ને - પ્રો. રાજેશ : પરંતુ અન્ન, વસ્ત્ર, મકાન, દવા અને બીજી જરૂરી વસ્તુઓ તો કુદરત આપણને મબલખ પ્રમાણમાં આપી શકે એમ છે, જો આપણે એમનો સંચય ન કરીએ તો. પણ અત્યારના તંત્રની ખામી એ છે કે અત્યારે આ વસ્તુઓ પૈસાથી મળે છે અને પૈસાનો સંચય થઈ શકે છે. છેલ્લાં બસો વષોંથી પૈસો અમુક દેશોમાં અને બીજા દેશોમાં અમુક ખિસ્સાઓમાં એકઠો થતો આવ્યો છે, એને કારણે આજે આ વસ્તુઓ બાકીના કરોડો લોકો માટે ઘણી મોંધી થતી જાય છે. તેથી સહુને આવતી કાલની ચિંતા છે. ઘણાંને તો આજ સાંજના રોટલાની પણ ચિંતા છે. મોંઘવારી વધતી જાય છે તેથી પૈસાનો સંચય કરવો પડે છે. એટલે અત્યારનું અર્થતંત્ર સહુને સ્વાર્થી બનાવે છે. . . રીની : તમે એ કહેવા માગો છો કે આજે બધાને પૈસાનો સંચય કરવો પડે છે એટલે બધાં સ્વાર્થી બને છે? બીજાને માટે ઘસાવાનું તો બાજુએ, બીજાને માટે દરકાર પણ નથી. કોઈ જો બીજાનું કામ કરે તો માત્ર પૈસા માટે. નોકરી કરનારાઓનો એકમાત્ર હેતુ પૈસા કમાવાનો છે અને માલિકોનો હેતુ નફો કમાવોનો. જેઓ મીઠું સ્મિત વેરીને વસ્તુઓ બતાવવા જાહેરખબરો કરે છે એ પણ પોતાના પૈસા કમાવા માટે જ એ નાટક કરે છે. સમાજના બધા સંબંધોમાં આ હેતુ સર્વોપરી છે એટલે એકબીજા વચ્ચે અંતર વધતું જાય છે. પ્રો. રાજેશ : એક બીજી વાત પણ છે. પૈસા કમાવા માટે આપણે, સારા શબ્દોમાં કહીએ તો, ચમચાગીરી કરવી પડે છે, આંખ આડા કાન કરવા પડે છે, અંતરાત્માને દબાવવો પડે છે. સાફ શબ્દોમાં કહીએ તો, ગુલામી વેઠવી પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy