SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ / ધન્ય આ ધરતી અમેરિકાના દેશોમાંથી દર વર્ષે સરેરાશ એક અબજ પાઉન્ડ મેળવ્યા છે. બૅન્કો દ્વારા ખર્ચ અને શાખાઓ ઓછાં થવાથી અનેક લોકોને બૅન્કોની સગવડો બંધ થઈ ગઈ છે. બર્મિન્ગહામ, જે ઈંગ્લેન્ડનું બીજા નંબરનું શહેર છે ત્યાં ૨૮ ટકા લોકોને હવે બેન્કિંગની સગવડો બંધ થશે. બૅન્કોમાંનો થાપણદારોનો તથા લેણદારોનો વિશ્વાસ ડગી ગયો છે અને છેક તળિયે પહોંચી ગયો છે. દસ વર્ષ પહેલાં ૨/૩ ઘરાકોને સંતોષ હતો તેની સરખામણીમાં હવે આજે માત્ર ૧/૩ થાપણદારોને સંતોષ છે. વેપારી બંન્ને ઉદ્યોગોને લોન આપવા અંગે ચકાસણી કરતી વખતે પર્યાવરણલક્ષી પરિબળોની ભાગ્યે જ ગણતરી કરે છે. '' ' બૅન્કો એમને મળતી માહિતી ઉપર આધાર રાખે છે. છેલ્લાં વર્ષોમાં માહિતી વધારે મેળવવામાં આવી છે પરંતુ એને વધુ સારી માહિતી સમજવી એ ભૂલ છે. સંબંધો ઉપર આધારિત બેંકિંગની જગાએ આજે કોમ્યુટરોની ગણતરીઓ પર આધારિત પદ્ધતિઓ આવી ગઈ છે. કોમ્યુટરોમાં માહિર્તીનો કચરો ઠલવાય છે અને એમાંથી કચરા જેવાં તારણો બહાર આવે છે. આ અને બીજાં કારણોસર બૅકિંગની કાર્યદક્ષતા ઓછી થાય છે અને એમને પોતાનો ખચ હોય છે. ઓછી થયેલી કાર્યદક્ષતા દૂર થવાનાં કોઈ ચિલો દેખાતાં નથી. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાને અપાતું દેવું ગંજાવર નફા, કટકી ખાનારાઓ, અતિ-આક્રમક હરીફાઈ, કંગાલ માહિતી વગેરેને કારણે બીજા બજાર તરીકે ઓળખાય છે. ૧૯૯૨માં લેટિન અમેરિકામાં જે નવું ૧૦ અબજ અમેરિકન ડોલરનું દેવું લેવામાં આવ્યું તે એ બધાં જ લક્ષણો ધરાવે છે કે જે ખોટા નિર્ણયોવાળા અને કરુણ અંજામવાળા બૅન્કિંગ પગલાંઓને કારણે ખુદ દેવાની કટોકટી ઊભી થઈ હતી. બૅન્કે જો પોતાના નિર્ણયોમાં સફળ થાય તો તેમને તેનો તરત જ ફાયદો થાય છે. પરંત બેન્કોને પોતાના ખરાબ નિર્ણયોની ખરાબમાં ખરાબ અસરો સામે રક્ષણ હોય છે. કારણ કે એમની નિષ્ફળતાઓની ખોટ એમના ઘરાકો ઉપરના ચાર્જ ઉપર અથવા સરકારી કર ઉપર ફાળવાય છે. | દર છમાંથી એક અમેરિકન બૅન્ક ગુમગુ છે અને વચગાળાની ખોટમાં જાય એમ છે. એનો અર્થ એ કે એમને બચાવવા માટે કર ભરનારાઓની આવતી પેઢી ઉપર સો અબજ ડૉલરનો ખર્ચ આવશે. ખોટાં દેવાં અને તૂટતા મિલક્તબજારને કારણે નોર્વેમાં ત્રણ મોટી બૅન્કોને સરકારે હાથમાં લેવી પડી છે. યુરોપભરમાં બધી કેન્દ્રીય બૅન્કોએ વચમાં પડવું પડ્યું છે. - આવો ટેકો – ખાસ કરીને ફડચામાં ન જવાની સ્વતંત્રતા – બૅન્કોને એક ખાસ એવા દરજ્જામાં મૂકે છે કે સમાજને એટલું જ વળતર આપવાની બૅન્કોને ફરજ પડે. એટલે કે વાજબી ધોરણો અપનાવવાની અને બેન્કિંગ સગવડો સમસ્ત સમાજને આપવાની બેન્કોને ફરજ પડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy