SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત વિરહ તન-ધન-સ્વજનનો જ કરાવે. તે મરણઆસક્તિવાળા જીવને લાગે સળગતું રેત-રણ ! સંસાર છે નિઃસાર એવું જાણનારા જીવને લાગે મરણ, સુખનું કિરણ, અંધારઘેરા ભવવને !...૫ મૃત્યુસમયની વ્યાધિની કાળી અકારી વેદના અજ્ઞાનીને પીડા જગાડે, જ્ઞાનીને સંવેદના ! જ્ઞાની વિચારે વેદના તો દેહમોહવિનાશનું સાધન સરસ છે, તે થકી છે મરણ, ભવના ત્રાસનું !...૬ પામે પરમ જે ફલ મુનીશ્વર વર મહાવ્રત આચરી, તે ફળ મળે સહેજે, મરણમાં જો સમાધિ આદરી ! બન્ની ધર્મધ્યાને મગ્ન, પીડા અવગણી, શાન્તિ ધરી જે નર સમાધિમય થયો તેણે પરમપદવી વરી...૭ વરસો અને વરસો સુધી જે ઘોર તપકિરિયા કરી, જે જીવનભર સંયમધુરા શૂરા બની કાંધે ધરી, ને આદર્યું દિનરાત શાસ્ત્રોનું મનન અધ્યયન જે, તે સર્વનું ફલ એક, અંતે તો સમાધિમરણ છે !...૮ ચાર દિવસનાં ચાંદરડાં ચાર દિવસનાં ચાંદરડાં પર જૂઠી મમતા શા માટે જે ના આવે સંગાથે... તેની માયા શા માટે?...૧ આ વૈભવ સાથે ન આવે ... પ્યારા સ્નેહી સાથે ન આવે તું ખૂબ મથે જેને મેળવવા તે યૌવન સાથે ન આવે; અહીંનું છે તે અહીં રહેવાનું ... એની ચિંતા શા માટે ?...૨ Jain Bcation International For Perovate Use Only www.jainelibry.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy