SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education મંગલ સંસાર સ્વરૂપ ople slhh પંચસૂત્ર પરિભાવના પ્રથમ સૂત્ર (રાગ - મંદિર છો મુક્તિ તણાં) જે ચાર ભેદો ધર્મના, પ્રભુ તે બતાવ્યાં વિશ્વમાં, વળી તેહમાં શિરદાર ને, નાયક સમો જે જગતમાં, તિહુંકાળમાં પણ જીવની, મુક્તિ નથી જેના વિના, શ્રી પંચત્ર થકી કર્યું, તે ભાવધર્મ આરાધના...૧ વીતરાગ સર્વજ્ઞ વળી, દેવેન્દ્રથી પૂજિત જે, વસ્તુ યથાસ્થિત ભાખતા, ત્રૈલોક્યગુરુ અરુહંત જે, ચોત્રીશ અતિશય ધારકા, ભગવંત જે ત્રણ ભુવનના, તે જગપતિ અરિહંતને, કરું ભાવથી હું વંદના...૨ કૈવલ્યમાં નિરખી કહે, ભવિજીવને ૫૨માતમા, વસતા અનાદિકાળથી, સવિ જીવ આ સંસારમાં, ભવસાગરે તસ ભવભ્રમણ, પણ છે અનાદિકાળના, તસ મૂળ કારણ છે અનાદિકર્મની સંયોજના...૩ દુઃખરૂપ ને દુઃખફળપ્રદા, દુ:ખાનુબંધિ જગ સદા, તેનો કરે વિચ્છેદ જે, લહે શુદ્ધધર્મની સંપદા, તે શુદ્ધધર્મની પ્રાપ્તિ પણ, લહે પાપના વિગમન થકી, કરે પાપવિગમન પણ તથાભવ્યત્વના પરિપાકથી...૪ ભાષે પ્રભુ પરિપાક સાધન તે તથાભવ્યત્વના, અરિહંત-સિદ્ધ-સુશ્રમણ ને, શરણાં ગ્રહો જિનધર્મના, ઈહ-પરભવકૃત દુષ્કૃતોની ભાવથી કરો ગર્હણા, સત્કૃત્ય જે સવિ જીવકૃત, તેની કરો અનુમોદના...૫ ૨૧૧૩ jainelibrary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy