SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદ તીર્થની ભાવયાત્રા N અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર, વાસુપૂજય ચંપાનયર સિદ્ધા, નેમ રૈવતગિરિ વર, સમેત શિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવર, ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘ સુ હંકરે. અષ્ટાપદગિરિકલ્પગ્રંથમાં આ ધર્મઘોષસૂરિજીએ ફરમાવ્યું છે કે, ‘આ અવસર્પિણી કાળમાં કરોડો સાધકો અષ્ટાપદ તીર્થ પર મોક્ષે ગયા છે.” શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખર કે શંખેશ્વર આદિ તીર્થની યાત્રા કરનાર તે ભવમાં મોક્ષે જ જાય એવી ખાતરી તીર્થકરોએ કે શાસ્ત્રકારોએ આપી નથી, પરંતુ તેઓનું વચન છે. જયારે અષ્ટાપદજી તીર્થ માટે ગણધરો સ્વાનુભવે જણાવે છે તથા પૂર્વાચાર્યો ખાતરી આપે છે કે, “જે મનુષ્ય સ્વાત્મશક્તિ (લબ્ધિ) દ્વારા અષ્ટાપદ તીર્થની યાત્રા કરે તે મનુષ્ય તે જ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.” અષ્ટાપદ તીર્થ શત્રુંજય મહાતીર્થથી ૧,૮૫,000 કોષ (૫,૫૫,000 કિલોમીટર) ઈશાન દિશા તરફ દૂર આવેલું છે. જયાં આદિનાથ પ્રભુ ૧૦,000 મુનિઓ સાથે મહાવદી તેરસે નિર્વાણ ને પામ્યા હતા. અહીં ભરત ચક્રવર્તીએ બનાવેલ સિંહનિષદ્યા પ્રાસાદમાં ઋષભદેવ પ્રભુના ૯૯ પુત્રો, બ્રાહ્મીસુંદરી તથા મરુદેવી માતાની રત્નની પ્રતિમા ભરાવી છે. તીર્થયાત્રા માટે એકેક યોજનના આઠ પગથિયાં બનાવાયા. તીર્થરક્ષા માટે સગર ચક્રવર્તીના ૬૦,000 પુત્રો અમર બલિદાન આપી સ્વર્ગે સિધાવ્યા. Forpu 959Use only Jain a tion International For Personen ate Use Only www.jainelibrary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy