SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગનવિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા શ્રદ્ધાથી પ્રારંભ કર્યો.. શ્રદ્ધા અને મેધાની જુગલબંધી મઝાની છે. અગણિત જન્મોમાં જે જુગલબંધી આપણી પાસે હતી તે અહંકાર અને બુદ્ધિની હતી. હવે જોઈએ છે શ્રદ્ધા અને મેધાની જુગલબંધી. અહંકાર પૂર્વકની વિચારશૈલિને બુદ્ધિ કહેવાય છે. શ્રદ્ધા પૂર્વકની વિચારપદ્ધતિને મેધા કહેવાય છે. એક સરસ સુભાષિત આવે છે: મદારો ધિયં ઝૂત, મૈનં સુમુસ્થાપવા અહંકાર બુદ્ધિને કહે છે કે આ આત્મા સૂઈ ગયો છે તેને તું જગાડીશ નહિ. જાગશે તો? “ર વં નાદ.” નહિ બુદ્ધિ રહે, નહિ અહંકાર રહે. ચેતનાની નિર્મળ ધારાનો પ્રારંભ શ્રદ્ધાથી છે. મેધા એટલે નિર્મળ બુદ્ધિ. ધૃતિ એટલે ઉત્સાહ, એકાગ્રતા. ધાણ્યા એટલે લાંબા સમય સુધી સ્કૃતિ અને અનુપ્રેક્ષા એટલે ચિન્તન. (૨) પર . “અરિહંત ચેઈયાણં' સૂત્રમાં (૧) વન્દન પ્રત્યય એ અવન કલ્યાણક સમયે શ્રી શકેન્દ્ર કરેલ વન્દનનો સૂચક છે. પૂજન પ્રત્યય એ જન્મ કલ્યાણક સમયે શ્રી શકેન્દ્ર કરેલા જન્માભિષેક રૂપ પૂજનનો સૂચક છે. (૩) સત્કાર પ્રત્યય એ રાજ્યપદ-ઋદ્ધિનો સૂચક છે. (૪) સન્માન પ્રત્યય એ દીક્ષા કલ્યાણક સમયે દેવોએ તથા નરેન્દ્રોએ કરેલા સન્માનનો સૂચક છે. (૫) બોધિલાભ પ્રત્યય એ કેવળજ્ઞાન કલ્યાણક- પ્રજ્ઞા પ્રકર્ષ તથા સમવસરણનો સૂચક છે. ૧૮ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy