SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ કેવાં સીધાં ચઢાણ મનનાં ! પણ એ મનનો વિજય કરી શકાય છે. એકાગ્રતા. સાધકની ચેતના એક શુભ યોગમાં ડૂબી. વિકલ્પો ક્યાં છે હવે? શુભનો વેગ એવો જોરદાર જોઈએ કે એ શુભની તીવ્રતા જ શુદ્ધને અપાવનાર બની રહે. શુભની તીવ્રતા બે રીતે કામ કરશે : અશુભને પ્રવેશવા નહિ દે. અને શુદ્ધ તરફ ગતિ કરાવશે. વીજળીક પંખો ફરતો હોય છે ફુલ સ્પીડમાં, ત્યારે તેના બે પાંખિયા વચ્ચે હાથ નાખી શકાય ? ના. કારણ કે ગતિ ખૂબ જ છે. આ જ રીતે શુભનો વેગ અસાધારણ હોય તો અશુભનો પ્રવેશ નહિ થાય... અને શુભની જ એ તીવ્રતા શુદ્ધમાં પરિણમશે. વિકલ્પો- જે અશુભ તરફ જઈ રહ્યા છે. ને દૂર કરવા માટે મહર્ષિ પતંજલિએ બે તત્ત્વોની આવશ્યકતા બતાવી : અભ્યાસ અને વૈરાગ્ય.' વૈરાગ્ય. પરની તીવ્ર અનાસ્થા. શો મતલબ વિકલ્પોનો? પરમાં જવાથી પીડા સિવાય બીજું શું મળ્યું? અભ્યાસ. સ્વાધ્યાય, જપ, પ્રભુભક્તિ આદિ યોગોને ઘુંટવાનો. અનાદિના પરના અભ્યાસની સામે આ પ્રતિઅભ્યાસ. શુભને ઘુંટવાથી શુદ્ધમાં જવાનું થાય. ૨. અગાવૈરાયાખ્યાં તનિરોધઃ | યોગસૂત્ર (૧-૨) ૧૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy