SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ SSC C જ્ઞાનધારા 0.00 મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ વર્ષે પૂર્વનું માનવામાં આવે છે. મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે અને તેથી જ ભગવદ્ નામજપ અને મંત્રોચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેનું ભાન થયું. જૈન દર્શનમાં મહામંત્ર નવકાર મંત્રના જાપથી છવોનાં સર્વ પાપો નાશ થઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિધાનમાં પણ શંકા કરવા જેવું નથી. લેફ કર્નલ સી. સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપણા મગજમાં શબ્દની/ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે, જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો-ચિંતકો શબ્દસ્ફોટ કહે છે તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે. મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે, એટલું જ નહિ, પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે, તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુશાન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજથી જ અગ્નિ પ્રગટાવેલ. આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ-શબ્દ અર્થાત્ ભાષા વર્ગણાના પરમાણુ એકમોની ઝડપ ૩૩૦ મીટર/સેકન્ડ હોય છે. જ્યારે તેજસ્ વર્ગણાના પરમાણુએકમો એટલે કે વીજચુંબકીય તરંગો, પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાંની ઝડપ ૩૦ કરોડ મીટર/સેકન્ડ હોય છે. એટલે જ ભાષા વર્ગણાના પરમાણુએકમોમાં, તૈજસ્ વર્ગણાના પરમાણુ એકમો કરતાં ઘણા વધુ પ્રમાણમાં પરમાણું હોવા છતાં તેની શક્તિ ઓછી જણાય છે. જ્યારે મનો વર્ગણાના મનસ્વરૂપ અથવા ૨૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy