SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધાર ૭૭૦ - ત્રણે લોક્ના ત્રણે કાળના સકળ પદાર્થો તેના ગુણો - પર્યાયો વગેરેનું સર્વશનું કેવળજ્ઞાન, તેની દષ્ટિએ મર્યાદામાં રૂપી પદાર્થોનો જ્ઞાનાનો પ્રકાશ અવધિજ્ઞાનથી થાય છે. " જે પદાર્થોને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરે હોય જે પાંચેય ઈન્દ્રિયોના વિષયથી અનુભવાય તે પદાર્થને જૈન દર્શનકારો રૂપી પદાર્થ કહે છે અને મર્યાદામાં રહીને ક્ષેત્રથી કાળથી અમુક છતાં અસંખ્ય રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે તે અવધિજ્ઞાનની લબ્ધિ છે. આજે હજારો માઈલ દૂરથી આવતા સમાચારો - સંદેશાઓ ઘરેબેઠાં એ જ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સેટેલાઈટની મદદથી ટી.વી. વીડિયો પર માઈલો દૂર બનતા બનાવો એ જ ક્ષણે આપણી હાજરીમાં બનતા હોય એમ આજે જોઈ શકાય છે. મોબાઈલ ફોનથી માઈલો દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. વિજ્ઞાનની આ ચમત્કારિક વાતો થોડાં વર્ષો પૂર્વે ગાંડા માણસની વાતો લાગતી, ચક્રમ જેવી વાતો લાગતી, પણ આજ રોજ-બરોજના જીવનમાં એ સહજ પ્રવૃત્તિ બની ગઈ છે, એમ અવધિજ્ઞાનથી આત્મા ત્રણે લોકના રૂપી પદાર્થો જોઈ શકે છે એવી શાસ્ત્રવાતોમાં હવે શ્રદ્ધા બેસે છે. યોગદર્શન સંમત પૂર્વજાતિજ્ઞાન, બૌદ્ધદર્શન સંમત પુલ્વેનિવાસ અને જૈન સંમત અવધિ એ ત્રણેયમાં ગત જન્મોના જ્ઞાનની શક્તિ છે. યોગદર્શન સંમત દિવ્યસ્રોતને સર્વભૂતરુતજ્ઞાનને બૌદ્ધદર્શન સંમત પિવાય સોતધાતુવા સાથે સરખાવી શકાય, કારણકે બન્નેમાં કર્મની વિશિષ્ટ શક્તિની વાત છે. આ શાનોને જૈન સંમત અવધિ સાથે સરખાવી શકાય. બૌદ્ધ સંમત દિવ્યચકબુઆણ અને અવધિ બન્નેમાં અમુક યોજના સુધી જોવાની, ભાવિ જન્મોના જ્ઞાનની અને હજારો લોક જોવાની શક્તિ છે. જૈન દર્શનમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન એમ બન્ને કાળના જન્મજ્ઞાન માટે એક જ જ્ઞાન (અવધિ)નો ઉલ્લેખ છે. જ્યારે બાંદ્ધ દર્શનમાં ભૂતકાલીન જન્મજ્ઞાન માટે પુલ્વેનિવાસ અને ભવિષ્યકાલીન જન્મજ્ઞાન માટે દિવ્યચકબુઆણ એમ બે ભિન્ન જ્ઞાનનો ઉલ્લેખ છે. સંભવ છે કે ભૂતકાલીન જન્મજ્ઞાન કરતાં ભવિષ્યકાલીન જન્મનું જ્ઞાન મેળવવું કઠિન હોય. પરિણામે તે બન્નેને ભિન્ન ગણ્યાં હોય. - ૨૦૮ ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy