SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ©© જ્ઞાનધાર ૭૦ માણસ જો ધર્મથી જીવે તો ધર્મ એનું રક્ષણ જરૂર કરવાનો. ધર્મવૃક્ષને તોડીને માણસ શાંતિ ક્યાંથી પામશે? ધર્મનો નાશ કરશો તો તમે જ તમારા જીવનને નુકશાન કરશો. ૧૨. અશઠતા/સૂરીલી સંવાદિતા - શઠ માણસ જે કરે તેની પાછળ તેની મેલી રમત રહેલી હોય છે. તેની આંખ, ચેષ્ટા, હાવભાવમાં માયા હોય. માયાવી માણસ બધાને છેતરતો હોય. એની આરાધનમાંય દંભ હોય, છળ-કપટ હોય. અશઠ એટલે જેવું મનમાં તેવું વચનમાં અને જેવું વચનમાં તેવું ક્રિયામાં ત્રણેય વચ્ચે સુસંવાદ જોઈએ. વિચાર, વાણી, વર્તન-ત્રણેમાં સંવાદિતા આવવી જોઈએ. અંદરની વૃત્તિ બદલાવી જોઈએ. વૃત્તિઓની નિર્મળતામાં જ ધર્મ છે, પછી તો એને પરિગ્રહ ભારરૂપ લાગે. આ રીતે જીવન સંવાદમય બનાવવું. ૧૭. સુદાક્ષિણ્ય - જેનામાં દાક્ષિણ્ય થાવ હોય એ માણસ બીજાને શુભમાં સહાયતા કરવા તૈયાર થાય છે. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થને ખાતર જ જીવે છે. પ્રથમ પોતાનું જીવન દાક્ષિણ્યભર્યું, પવિત્ર અને પરોપકારી બનાવવું જોઈએ. આપણે પહેલાં સુધરવું અને આપણા જ્ઞાનને અમલમાં મૂકવું. યુવાનો એ જોઈને તમારું અનુકરણ કરશે. દુનિયામાં આપણે આવ્યા છીએ તો દુનિયાનાં કામો કરવા પડશે પણ દિવસમાં એકાદ તો એવું કામ કરો કે જે રાત્રે સૂતી વેળા તમને અંતરનો સાત્વિક આનંદ આપે., ઉલ્લાસ આપે એનું નામ દાક્ષિણ્ય. ૧૪. લજ્જાળુતાઃ- જ્ઞાનીઓ કહે છે કે લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય જ નહિ. અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું પણ અકાર્ય થઈ જાય તો એનું દુઃખ એને ખટકે, એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજ્જાળુ માનવીએ તો નિર્વ્યસની બનવાનું છે. આપણે જન્મ્યા ત્યારે એકેય વ્યસન લાવ્યા ન હતા. આ વ્યસનો તો અણસમજ, નિર્બળતા, અજ્ઞાન અને દુરાચાર તરફ લઈ જાય છે. વ્યસનો છોડવાં તે પ્રથમ પુરુષાર્થ છે. કાર્યોનો સમયવિભાગ પાડી દઈએ કે અયોગ્ય કામનો અવકાશ જ ન રહે. જેમ કે સવારે જરા પ્રાર્થનામાં બેસો. સુંદર વિચાર કરો. સવારના જ્ઞાનના આ વિચારો અંદર ભરી રાખો, તો ચોવીસ કલાક એની તાજગી રહેશે. બની શકે તો નાની એવી ચોપડી સાથે રાખો, અવકાશ મળે ત્યારે એમાંથી વાંચો. રાત્રે ઘરે આવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy