SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૫૫ પાર્શ્વનાથ ભગવાન આદિ ચાર પ્રાચીન જિનબિંબો તથા શ્રી જીરાઉલા પાર્શ્વનાથજી ભગવાન, શ્રી આદિનાથ, તથા શ્રી શાંતિનાથજી ભગવાન શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા શ્રી ગૌતમસ્વામી ભગવાન તથા શ્રી માણિભદ્રવીર તેમજ શ્રી પદ્માવતી દેવીની નૂતન ભવ્ય પ્રતિમાઓ ભરાવી ૫. પૂ. આ. ભ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ.ના વરદ્હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રાચીન તેમજ અર્વાચીન સર્વ જિનબિંબોની પ. પૂ. શાસન સમ્રાટ શ્રી કદમ્બગિરિ પ્રમુખાનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર ૫. પૂ. આ. ભ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિ. કસ્તૂરસૂરિ મ. સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. જે પોતાના પટ્ટધર પ. પૂ. આ. ભ. શ્રી વિજયજયચંદ્રસૂરિ મ. ચંદ્રવિજયાન્ન મુનિ શ્રી પ્રદીપકલ્યાણ- રાજ- નિર્મળ-અનંત-અક્ષય-સુધર્મવિબુધ-અણગારાદિ સાધુ-સાધ્વી પરિવાર સહિત આ જિનચૈત્યના ખનન-ભૂમિપૂજા, પ્રવેશ તથા પ્રતિષ્ઠાના શુભ મુહૂર્ત પ. પૂ. આ. ભ. શ્રી વિ. અશોકચંદ્રસૂરિ ફરમાવેલ વિ. સં. ૨૦૪૧ વીર સં. ૨૫૧૧ ને નિ. સં. ૩૬ વર્ષે ફા. સુ. શુક્રવારે તા. ૨૨-૨-૧૯૮૫ના શુભ મુહૂર્ત સૂરિમંત્ર મંત્રિત વાસક્ષેપ કરવા મુનિ રાજચંદ્ર વિ. નિર્મલચંદ્ર વિ. અનંત ચંદ્ર વિ. સુધર્મચંદ્ર વિજર્યરલેખિત. ” ઈ. સ. ૧૯૮૩માં ૧૩-૧૧-૮૩ના રોજ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૪૧", શ્રી આદીશ્વર ૨૫", શ્રી શાંતિનાથ ૨૫", શ્રી મહાવીર સ્વામી ૨૫" અને શ્રી ગૌતમસ્વામીની ૨૫" ની પ્રતિમા ભરાવી એની પ્રતિષ્ઠા સાંઢેરાવ ભુવન-અંજનશલાકા સમિતિ પાલિતાણામાં કરાવી. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૩ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે, પૂજા ભણાવાય છે અને પ્રભાવના થાય છે. દેરાસરનો વહીવટ ભુવનકુમાર શાહ, સુમંતલાલ શાહ, મનુભાઈ પારેખ હસ્તક છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. તે સમયે પાષાણની ૪ તથા ધાતુની ૧૦ પ્રતિમાઓ હતી. સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હોવાની નોંધ છે. આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ થી પૂર્વેનો માની શકાય. લગભગ ૪૫૦ વર્ષ પહેલાનો જણાવેલ છે. સં. ૨૦૪૧માં અર્વાચીન શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા થયેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy