SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૯૩ છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીનો ઉલ્લેખ છે. ૨૮ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ રાયચંદ જેઠાભાઈ વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી. શ્રી મહાવીર સ્વામી જિનાલયનો સમય સં. ૧૮૯૪નો છે. ગામ - જંબુસર તાલુકો - જંબુસર. ૪૪. શ્રી પદ્મભસ્વામી જિનાલય (સં. ૧૭૬૧ પૂર્વે ) જંબુસરમાં આવેલ શ્રાવક પોળમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું નૂતન દેરાસર આવેલું છે. દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૫રમાં થયેલો છે. દેરાસર શિખરબંધી, આરસમઢિત છે. દેરાસરની સ્થિતિ સારી છે. મુખ્ય પ્રવેશદ્વાર પર નીચે મુજબનો લેખ છે. જંબુસર શ્રી પદ્મપ્રભુસ્વામીના આ જિનાલયનો જીર્ણોદ્ધાર પ. પૂ. વર્ધમાન તપોનિધિ સ્વ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી ના પ્ર. શિષ્યરત્ન પ. પૂ. વૈરાગ્ય દેશના દક્ષ આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણા માર્ગદર્શન તથા આશીર્વાદથી શ્રી રીખવદેવજી મહારાજ જૈન દેરાસર પેઢી કાવીએ કરાવ્યો છે. સંવત ૨૦૫રના ફા-સુ-૪ તા. ૨૨-૨-૧૯૯૬ના દિવસે "શુભ મુહૂર્ત નવાન્ડિકા મહોત્સવપૂર્વની સંઘના અતિ હર્ષોલ્લાસ સાથે આ. હેમચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી પદ્મપ્રભસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ” દેરાસરની ફરતે ચારે બાજુ આરસની ઊંચી દિવાલ ઉપર કાંગરી છે. લોખંડની જાળીવાળો પ્રવેશદ્વાર છે. ઉપર હરણ અને બાજુમાં પૂતળીઓ છે. ૧૧ પગથિયાં ચઢીને આરસનો ઓટલો અને ચારેબાજુ પ્રદક્ષિણાની જગ્યા છે. પ્રવેશદ્વાર પહેલાં થાંભલા ઉપર બે પત્થરના દ્વારપાળ છે. ઉપર પૂતળીઓ અને ધાબાની પાળી પર હાથી બેસાડેલ છે. ચારેબાજુ સ્ટીલની રેલીંગ છે. રંગમંડપમાં જવા માટેના ત્રણ કાષ્ઠનાં બનેલાં પ્રવેશદ્વાર છે. રંગમંડપ આરસનો છે. રંગમંડપમાં પ્રવેશદ્વારની નજીક એકબાજુ મહાલક્ષ્મી દેવી અને બીજુ બાજુ શ્રી પદ્માવતી દેવીની પ્રતિમા છે જેના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. આગળ ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાના મસ્તક ઉપર શ્રી મહાવીરસ્વામીની નાની પ્રતિમા અને બીજા ગોખલામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. બીજી બાજુ ગોખમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ અને શ્રી માણિભદ્રવીરની પ્રતિમા બિરાજમાન છે. ત્રણ ગર્ભદ્વાર જર્મનનાં મઢેલાં છે. ગભારો નાનો અને લાંબો છે. આરસના પબાસન ઉપર મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામીની ૨૫" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનનાં એકબાજુના ગભારે શ્રી આદીશ્વર ભગવાન અને બીજી બાજુના ગભારે શ્રી નેમનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં પાંચ દેવીઓની આરસની પ્રતિમા છે. ગભારામાં
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy