SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૯૧ ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૫ પાષાણ પ્રતિમાઓ તથા ૨૦ ધાતુ પ્રતિમાઓ હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૫ પાષાણ પ્રતિમાઓ તથા ૨૪ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ કાલિદાસ રાયચંદ કરતાં હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરનો લેખ સંવત ૧૬૫૯નો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. ગામ - સરભાણ તાલુકો - આમોદ. ૪૨. શ્રી કુંથુનાથ પ્રભુનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૫૭) આમોદથી ૮ કિ. મી.ના અંતરે આવેલ સરભાણ ગામ મધ્યે ત્રણ ભાગમાં શ્રી કુંથુનાથ ભગવાનનું નૂતન દેરાસર આવેલું છે. આ ધાબાબંધી અને આરસમઢિત દેરાસર છે. દેરાસરની સ્થિતિ સારી છે. આ ઘરદેરાસરમાં નીચે ઉપાશ્રય અને ઉપર દેરાસર છે. - નિસરણી ચઢીને ઉપર જતાં એક મોટો લંબચોરસ રૂમ છે. રૂમમાં એક બાજુ પર ચોરસ ગભારો બનાવેલ છે. ગભારામાં વચમાં આરસની દેવકુલિકામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૫" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. દેવકુલિકામાં ઉપર નાનું શિખર છે. ગભારામાં ૧ પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “ૐ અહં નમઃ વિ. સં. ૨૦૫૭ વૈશાખ વદ ૧૧ અઠવાલાઈન્સ મળે અંજન પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી કુંથુનાથ જિનબિંબ. ઈહં પ્રતિષ્ઠાપિત આચાર્ય વિજયપ્રભભુવનભાનુસૂરિવર્ય. . . . . . . . વિજય જગવલ્લભસૂરિભિઃ શ્રી સરભાણ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ” આચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં સં. ૨૦૫૭ના જેઠ સુદ ૫ ના દિવસે શેઠ શ્રી રમણલાલ મોહનલાલ શાહ પરિવારે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. જિનાલયનો સમય સં. ૨૦૫૭નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy