SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૭૯ ગર્ભદ્વાર એક છે. મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની પાષાણ પ્રતિમા ૧૭" ની છે. ગભારામાં કુલ ૧ પાષાણ પ્રતિમા તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. વિ. સં. ૨૦૩૪ માઘ સુદી ૧ શુક્રવારે વિજયપ્રેમસૂરિ પટ્ટપ્રભાવક આ. શ્રી વિજય ભુવનભાનસૂરિભ્યામિતિ. ” મૂળનાયક ભગવાનની અંજન શલાકા નંદનબાર ધૂલીયામાં થઈ છે અને પ્રતિષ્ઠાનો લાભ શેઠ શ્રી રસીકલાલ ઉમેદચંદ લીધો હતો. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. આ દિવસે ચઢાવો બોલી ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે. દેરાસરની નીચે એક ઉપાશ્રય છે જે ભાઈ-બહેન બંને માટે ઉપયોગમાં લેવાય છે. દેરાસર, ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી રાયસંગપરા જે. મૂ. પૂ. જૈન સંઘના હસ્તક છે. હાલ ગામમાં પ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ ગામમાંથી બે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ગામ - વાલીયા તાલુકો - વાલીયા. ૩૦. શ્રી સંભવનાથ જિનાલય અંકલેશ્વર-નેત્રંગ રોડ ઉપર અંકલેશ્વરથી ૧૦ કિ. મી. દૂર વાલીયા ગામ આવેલું છે. ગામના એકમાત્ર શિખરબંધી દેરાસરનું પ્રવેશદ્વાર ખૂબ જ સુંદર, કલાત્મક તથા રંગીન કમાનોવાળું બનેલું છે. દેરાસરમાં પ્રવેશદ્વારમાં પ્રવેશતાં બે બાજુ બે હાથીના શિલ્પ મૂકેલાં છે. બંને બાજુ આરસના સ્તંભોમાંથી કઠેડો બનાવ્યો છે. - પ્રવેશદ્વારમાં પ્રવેશ્યા બાદ ૧૦ થી ૧૨ પગથિયાં ચઢતાં ઉપર બે બાજુ બે દેવકુલિકા આવેલી છે. જેમાં ડાબી બાજુ શ્રી નાકોડા ભૈરવનાથ, જમણી બાજુ શ્રી માણિભદ્રવીર બિરાજે છે. આગળ જતાં ૧૦ સ્તંભ ઉપર શૃંગાર ચોકી તથા દેરાસરના રંગમંડપમાં પ્રવેશવા માટે ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર આવે છે તથા બે બાજુ બે અન્ય પ્રવેશદ્વાર આવેલાં છે. મુખ્ય પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં શ્રી ગિરનાર (૧૯૯૫), શ્રી સમેતશિખર, શ્રી શત્રુંજય, શ્રી અષ્ટાપદજી, શ્રી ભદ્રેશ્વર તથા શ્રી શંખેશ્વર તીર્થના પટના દર્શન થાય છે. આ બધાં પટમાં કેટલાક દિવાલ ઉપર પત્થર વડે ઉપસાવેલ છે તો કેટલાક દિવાલ ઉપર ચિત્રિત કરેલ છે. દરેક પટ અતિસુંદર કારીગરીવાળા છે. વળી ગોખમાં શ્રી સુધર્માસ્વામી, શ્રી કુમુદચંદ્રસૂરીશ્વરજી, શ્રી ગૌતમસ્વામી, શ્રી વલ્લભસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજિત છે. ઉપરાંત ત્રિમુખી યક્ષ, દુરિતારિણી યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy