SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ ઉપાધ્યાય શ્રી સમયસુંદરવિજયજી રચિત “દાન શીલ તપ ભાવના સંવાદ" ની પ્રત શ્રી પ્રેમવિજે અંકલેશ્વરમાં લખી જેની અંતિમ લીટીમાં લખ્યું છે, “અકલેસર ગ્રાંમ શ્રી શાંતિનાથ પ્રાસાદાત્ ૧૮૪૩ સં. વૈ. વદી. ૬ પ્રેમવિજે લખિતં.’ આ પરથી અનુમાન કરી શકાય કે અંક્લેશ્વરમાં શ્રી શાંતિનાથનું જિનાલય વિ. સં. ૧૮૪૩માં વિદ્યમાન હતું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧૪ ધાતુ પ્રતિમાઓ હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૧૮ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૮૦૦માં આ જિનાલય બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ દીપચંદ પાનાચંદ કરતા હતા. દેરાસરની સ્થિતિ સાધારણ હતી. જિનાલયનો સમય સં. ૧૮૦૦ આસપાસનો છે. ગામ - અંકલેશ્વર તાલુકો - અંકલેશ્વર. ૨૨. શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય (સં. ૨૦૫૨) ભરૂચથી ૯ કિ.મી.ના અંતરે આવેલાં અંકલેશ્વર ગામના દેસાઈ ફળિયામાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું આરસમઢિત, શિખરબંધી એવું નૂતન દેરાસર આવેલું છે. આ દેરાસરની સ્થિતિ સારી છે. પ્રવેશદ્વાર ઉપર બે બાજુ હરણ અને વચ્ચે ચક્ર છે. અગિયાર પગથિયાં પછી ઓટલો છે. ઓટલો ચોક જેવો મોટો છે. ઓટલા પર આરસની બેઠક કરેલ છે. બંને બાજુ બે પ્રવેશદ્વાર લાકડાંની કોતરણીવાળાં પોલીશ કરેલાં બારણાં છે. બારણાં પર અષ્ટમંગલ આલેખાયેલાં છે. પ્રશસ્તિ નીચે મુજબ છે. “શ્રી વાસુપૂજ્યસ્વામીને નમઃ શ્રી પ્રજાસત્તાક ગણતંત્ર સંચાલિત ભારતદેશ ગુર્જર પ્રદેશ ભાગ્યવિધાત્રી મહાનદી નર્મદા તટાસીને ગુરુ વિક્રમસૂરિ જિણોદ્યુત શ્રી ભુગુકચ્છાદિ મહાતીર્થોય શોભિતપુરે અંકલેશ્વર નગર ચરમ તીર્થાધિપતિ મહાવીરસ્વામી ધર્મશાસને, શ્રીમત્ ગૌતમસ્વામી શ્રીમત્ સુધર્માસ્વામીનાં અવિચ્છિન પરંપરાયાં સંવિગ્ન તપાગચ્છીય શ્રી વિજયાનંદ (આત્મારામ) સૂરીશ પટ્ટધર શ્રી કમલસૂરીશ શિષ્યવીર પંચસમતી પટ્ટધર જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય વિજય લબ્ધિસૂરિસરાણાં પ્રૌઢપ્રતાપી શિષ્યરત્ન આ. વિજયવિક્રમસૂરીશ્વર પવિત્ર નિશ્રાસ્તે શ્રી
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy