SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૫૭. ૮. શ્રી કેસરિયાજી આદિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય પ્રીતમ સોસાયટી, ભરૂચ. ભરૂચમાં આવેલી પ્રીતમ સોસાયટીના વિભાગ-રમાં આવેલ શ્રી કેસરીચંદ દલીચંદ શાહના બંગલામાં મધ્યમ કદનું આરસનું નૂતન દેરાસર બનાવેલ છે. પ્રવેશ કરતાં આરસના સાદા ઓટલા છે. ઓટલા પર બે બાજુ કાળા રંગના હાથી બેસાડેલા છે. આ શિખરબંધી, આરસ મઢિત દેરાસર છે. પ્રવેશદ્વાર જર્મન-સીલ્વરના પતરાંથી જડેલી જાળીવાળું છે. રંગમંડપ સાદો ચોરસ છે. ગભારાની બહાર ગોખલામાં ગોમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી છે. રંગમંડપમાં ડાબી તરફના ગોખલામાં નીચે શ્રીમતી સુંદરબેન અને ઉપર શ્રી પદ્માવતી દેવી અને જમણી તરફના ગોખલામાં નીચે શ્રી કેસરીચંદજી અને ઉપર શ્રી માણિભદ્રવીરની પ્રતિમા છે. ગર્ભદ્વાર એક છે. તેની દિવાલ પર શ્રાવક-શ્રાવિકાના ફૂલ સાથે ચિત્રો અંકિત કરેલ છે. મૂળનાયક ભગવાન શ્રી શરીયાજી આદિનાથ પ્રભુની ૩૧" ની પ્રતિમા બિરાજમાન છે. તેમની એક તરફ શ્રી અજિતનાથ ભગવાન અને બીજી તરફ શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. તેની બાજુના ગોખમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે તેમના પરિકર પર શ્રી ધરણેન્દ્ર દેવની વિશિષ્ટ કૃતિ છે. બીજી બાજુ ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં ૪ પાષાણ પ્રતિમાઓ, ૨ ધાતુ પ્રતિમાઓ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર મૂર્તિલેખ નીચે મુજબ છે. “વિક્રમ સંવત ૨૦૪૫ માહ સુદ ત્રયોદશી શનિવારે આચાર્ય ભગવાન લબ્ધિસૂરીશ્વરાણાં પટ્ટશિષ્ય આ. ભ. વિક્રમસૂરીશ્વરેઃ સમુદ્ધારિતે આ. ભ. રાજયશસૂરિ માર્ગોપદોશકે શ્રી ભુગુકચ્છ તીર્થે આ. ભ. નવીનસૂરીશ્વરઃ રાજસ્થાન જાબાલ નિવાસી સ્વમાતા ગોકુબેન વનેચંદજી ભૃગુકચ્છ રોહિડાનિવાસી મુલીબેન દલીચંદજી દત્તકપુત્ર કેસરીચંદ તત્પત્ની સુંદરબેન પૌત્રાદિ શાંતિલાલ, પ્રવિણ, રાજેશ, મંજુલા, પ્રેમિલા, વસુમતી, અરૂણા આદિ પરિવારણ કેસરીયાજી આદિનાથસ્ય બિંબ. . . . . . . મંદિરે પ્રસ્થાપિત. " દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૬ છે. તે દિવસે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે અને જમણવાર થાય છે. ૯. શ્રી મુનિસુવ્રતસ્વામીનું ગૃહ ચૈત્ય શક્તિનગર સોસાયટી, ભરૂચ. ભરૂચમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં ૫૦૯ નંબરના બ્લોકમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. ભવિષ્યમાં ભવ્ય દેરાસર બનાવવામાં આવશે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy