SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પાટણનાં જિનાલયો પર સિંહ, તાપસ તથા બાળકોની રચનાઓ નજરે પડે છે. દીવાલ તથા થાંભલા પર રંગીન કોતરણી તથા પ્રવેશદ્વારની બારસાખ પર પણ રંગીન કોતરણી છે. થાંભલા પર ટોડલા છે. દ્વારની ઉપરના ભાગમાં હાથી તથા દેવીઓનાં રંગીન શિલ્પો કંડારેલાં નજરે પડે છે. - જિનાલયના રંગમંડપમાં સામેથી પ્રવેશવા માટેનાં ત્રણ દ્વાર છે. ઉપરાંત રંગમંડપની ડાબી-જમણી બાજુ પણ પ્રવેશદ્વાર છે જ્યાંથી દેવકુલિકાઓ તરફ જઈ શકાય છે. રંગમંડપમાં છત પર રંગીન ટોડલા છે. ચૌદ સુપનોનું ચિત્રકામ છે. રંગમંડપમાંની દીવાલો ભદ્રેશ્વર, અષ્ટાપદ, શત્રુંજય, આબુજી, કુલ્પાકજી, ગિરનાર, રાણકપુર જેવાં તીર્થોના પટ તથા શ્રેયાંસકુમાર દ્વારા અક્ષયતૃતીયા દિને પ્રભુ આદિનાથને ઈશુરસથી પારણું, કલકત્તાના રાયબહાદુર બાબુ બદ્રીદાસજી મુકીમનું ધર્મનાથનું જિનાલય, પાર્શ્વનાથને વંદન કરતાં ઇન્દ્ર-ઇન્દ્રાણી, શાંતિનાથના દસમા ભવ જેવા પ્રસંગપટો તથા ચિત્રોથી રળિયામણી બની છે. રંગમંડપની બંને બાજુ ઘુમ્મટયુક્ત ગોખમાં આરસની બે દેવીઓની મૂર્તિઓ બિરાજે છે. લાધાશાહે એમની ચૈત્યપરિપાટીમાં જિનાલયનાં ચિત્રો જોઈ એમનાં નેત્રો હર્ષિત થયાં હોવાની ખાસ નોંધ કરી છે. આજે ભલે એ જ ચિત્રો નહીં રહ્યાં હોય પણ પ્રાસાદ વિવિધ તીર્થ અને પ્રસંગપટોથી ભરચક છે જ. રંગમંડપના ડાબી બાજુના દ્વારેથી આદેશ્વરની દેવકુલિકા તરફ જઈ શકાય છે. આદેશ્વરની પરિકરયુક્ત મનોરમ પ્રતિમાના દર્શનથી મન ન્યતા અનુભવે છે. દેવકુલિકામાં કુલ સાત આરસપ્રતિમા અને કુલ ત્રેવીસ ધાતુપ્રતિમા બિરાજે છે. રંગમંડપની જમણી બાજુના દ્વારેથી મહાવીરસ્વામીની દેવકુલિકામાં જઈ શકાય છે. મહાવીરસ્વામીની આરસની પ્રતિમા પરિકરયુક્ત છે. અહીં કુલ પાંચ આરસપ્રતિમા અને છવ્વીસ ધાતુપ્રતિમા બિરાજે છે | મુખ્ય ગર્ભદ્વારની બારસાખ રંગીન અને કોતરણીવાળી છે. મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની ૨૭” ઊંચાઈવાળી સપરિકર આરસની પ્રતિમાના દર્શન કરતાં મન શાંતિનો અનુભવ કરે છે. ગભારામાં મૂળનાયક તથા આજુબાજુની પ્રતિમાઓને સાંકળતી આરસની છત્રીની સુંદર રચના છે. છત્રીના થાંભલા પર પૂતળીનાં શિલ્પો છે. ગભારામાં કુલ નવ આરસપ્રતિમા અને સોળ ધાતુપ્રતિમા બિરાજમાન છે. ગભારામાં જ ડાબી બાજુના ગોખમાં મુનિસુવ્રતની પ્રતિમા પર સં૧૫૧૦નો લેખ છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૭૩માં થયો હોવા અંગેનું લખાણ મૂળનાયક ભગવાનની નીચેના ભાગમાં એક તકતી પર જોવા મળે છે. ઉપરાંત ગભારામાં અંદરની બાજુએ સામસામેના બે ગોખની રચના સં૧૯૭૯માં થયાનું લખાણ છે. અહીં એક સિદ્ધચક્ર મહામંત્ર છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે સામસામે બે ગોખની રચના છે જેમાં કુલ ચાર આરસપ્રતિમા બિરાજે છે. તે પૈકી એક પ્રતિમા પર “સં. ૧૫૪૯.... લક્ષ્મીસાગરસૂરિભિઃ”નો ઉલ્લેખ છે. તથા અન્ય પ્રતિમા પર સં. ૧૬૦૫નો લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy