SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો અહીં ગભારામાં કુલ ત્રણ ધાતુપ્રતિમા બિરાજે છે. તે પૈકી મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સપરિકર ધાતુપ્રતિમા બિરાજે છે. તેના પર નીચે મુજબનો લેખ છે : ‘સં. ૧૫૫૮ વર્ષે માધ સુદિ ૬ શુક્રે શ્રી શ્રી શ્રી પાર્શ્વનાથ બિંબં કારિત ભણશાલિભિઃ પ્રતિષ્ઠિતમ્” તથા ડાબી બાજુ બિરાજમાન વાસુપૂજ્યસ્વામીની સપરિકર ધાતુપ્રતિમા પર પણ લેખ જે નીચે મુજબ છે : ૭૧ 66 સં. ૧૫૮૨ વર્ષે ચૈત્ર વદી ૧૦ શુક્ર રાજાધિરાજ મહારાજ શ્રી વસુપૂજ્ય રાજ્ઞિ શ્રી જયાદેવી તત્પુત્ર શ્રી: શ્રી: શ્રી: શ્રી: શ્રી: વાસુપૂજ્ય બિંબં કારિત આશધર સુત વછા જિણદાસ વીરદાસકેન કર્મક્ષયાર્થ શ્રેયસેસ્તુ । કલ્યાણમસ્તુ ।’ શ્રી ભીડભંજન પાર્શ્વનાથના જિનાલયની ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. મુનિસુવ્રતસ્વામી આ જિનાલય પાસેથી જ મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં પ્રવેશી શકાય છે. મુનિસુવ્રતસ્વામીના જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાના દ્વાર ઉપર ચોરસ ઝરૂખાની રચના છે. ઝરૂખાને રંગકામ કરેલ હોવાથી સુંદર ભાસે છે. અહીં પ્રવેશચોકીની કમાનો પર વાજિંત્રો વગાડતાં શિલ્પોની રચના છે. રંગમંડપની અંદરની દીવાલો આરસની તથા પથ્થરના થાંભલા રંગકામયુક્ત છે. આ જિનાલયમાંની ચોવીસ ચોકી તેની વિશાળતા અને ભવ્યતાનો નિર્દેશ કરે છે. રંગમંડપમાં સાત ગોખ છે જેમાં તીર્થંકરોના જીવનપ્રસંગો ચિત્રિત કરી કાચથી બંધ કરેલ છે. અહીં જમણી બાજુ દીવાલ પાસે પાળીની રચના પર પદ્માવતીદેવીની મૂર્તિ બિરાજે છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૪૬માં થયો છે. પ્રવેશદ્વાર તથા ગર્ભદ્વાર પર સુંદર શિલ્પાકૃતિઓ છે. ગર્ભદ્વાર ત્રણ છે. તેમાં ૨૩” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બિરાજે છે. તે પ્રતિમા પર સં ૧૫૦૫નો લેખ છે. ડાબે ગભારે આદેશ્વર તથા જમણે ગભારે શીતલનાથ બિરાજમાન છે. તે પૈકી શીતલનાથની પ્રતિમા પર સં. ૧૫૧૫નો લેખ છે. અહીં કુલ અગિયાર આરસપ્રતિમા તથા નેવું ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ મારફતિયા મહેતાનો પાડો અગાઉ મહિતાનો પાડો, મહેતાનો પાડો, મહતાની પોળ, મારફતિઆ પાડો – એમ વિવિધ નામોથી ઓળખાતો હતો. મહિતાનો પાડો વિસ્તારનો ચૈત્યપરિપાટીઓમાં સૌ પ્રથમ ઉલ્લેખ સં ૧૬૧૩માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy