SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ પાટણનાં જિનાલયો માટે ભેટ આપ્યો હતો. આ મંદિરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૬માં ૪૩હજારના ખર્ચે કરવામાં આવ્યો છે.” આ પરથી સ્પષ્ટ થાય છે કે આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૬માં થયો હતો. વળી, સં. ૨૦૪૯માં પણ જીર્ણોદ્ધાર થયો હોવાનો ઉલ્લેખ સાંપડે છે. લેખમાં નિર્દેશિત લાકડાનો આ ઘુમ્મટ આ જિનાલયને અને તેના રંગમંડપને ભવ્ય બનાવે છે. તે ખરે જ, કાષ્ઠકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમાં નર્તકીઓ, પાન આકારની કોતરણી, રાસ રમતા દેવો, સુંદર ટોડલા તથા બારીઓમાં કુલ ચોવીસ તીર્થકરોની વૈવિધ્યસભર રંગકામવાળી કલાત્મક શિલ્પકારીગરી, વરઘોડાનું દશ્ય, પોપટ, હાથી તથા દ્વારપાલ અને નાની નાની કમાનોની અદ્દભુત કારીગરી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૬, ૧૭ અને ૧૮) ' - પ્રવેશદ્વાર તથા ગર્ભદ્વાર પર સુંદર શિલ્પાકૃતિઓ છે. રંગમંડપમાં છ ગોખ છે. જમણી બાજુ ગર્ભદ્વાર પાસેના પ્રથમ ગોખમાં માતંગ યક્ષ, તે પછીના બીજા ગોખમાં ગૌતમસ્વામી તથા ત્રીજા ગોખમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને અકબરપ્રતિબોધક હીરવિજયસૂરિની આરસની નાની, પ્રાચીન મૂર્તિઓ છે. ડાબી બાજુ ગર્ભદ્વાર પાસેના પ્રથમ ગોખમાં સિદ્ધાયિકાદેવી, બીજા ગોખમાં સુધર્માસ્વામી તથા ત્રીજા ગોખમાં શ્રી શાસનાદેવીની હાજરાહજૂર મનાતી આરસની મૂર્તિ છે. શ્રી શાસનાદેવીના ગોખ પર ચાંદીનું છત્ર છે. ગર્ભગૃહમાં અનુપમ કલાકારીગરીયુક્ત ચાંદીના વિશાળ છત્ર નીચે મૂળનાયક સહિત સર્વ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક મહાવીરસ્વામી ૩૯” ઊંચાઈ ધરાવે છે. ડાબે ગભારે ગોડી પાર્શ્વનાથ તથા જમણે ગભારે આદેશ્વર બિરાજમાન છે. એકેયમાં લેખ નથી. ડાબી બાજુ ચોવીસ તીર્થકર સાથેનો માતૃકાપટ છે. અહીં કુલ સાત આરસપ્રતિમા છે જે પૈકી એક કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. તથા એકત્રીસ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ ૧૬મા સૈકા દરમ્યાનનાં જિનાલયો જે આજે પણ પાટણમાં વિદ્યમાન છે, તેની અલ્પ સંખ્યા છે. તે પૈકીમાંનું એક ઢંઢેરવાડામાં આવેલું મહાવીરસ્વામીનું જિનાલય આજે પણ પાટણમાં જૈન શાસનની યશોગાથાના સૂરો પ્રસરાવી રહ્યું છે. મહાવીરસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આવે છે. તે પહેલાંનો એક સંદર્ભ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૯)માં પ્રાપ્ત થયો છે. ઢંઢેરિયા પૂનમિયા ગચ્છના સમુદ્રઘોષના સમયમાં થિરાપદ્રીય દેશમાં ઢંઢેર તરીકે ઓળખાયેલા કુટુંબમાંથી કેટલાકે અણહિલપુરમાં વાસ કરેલ અને ઢંઢેરવાડો વસાવી ત્યાં મહાવીરપ્રાસાદ બનાવેલો તેવો ઉલ્લેખ છે. સમુદ્રઘોષ ૧૩મા સૈકાના છે. આ સંદર્ભ જિનાલયની પ્રાચીનતાનો નિર્દેશ કરે છે. ત્યારબાદ અદ્યાપિપર્યત સાતત્યપૂર્વક ઢંઢેરવાડામાં જ મહાવીરસ્વામીના આ જિનાલયના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ મહાવીરસ્વામીનું જિનાલય શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત તે સમયે જિનાલયની સ્થિતિ સાધારણ હતી. જિનાલયમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy