SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ રમણભાઈ મણિલાલ સેવાઓ આપે છે. આ જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૧૩ થી અદ્યાપિપર્યંત સાતત્યપૂર્વક ખેતરપાલનો પાડો વિસ્તારમાં થયેલો છે. એટલે કે આ જિનાલય સં ૧૬૧૩ પૂર્વેનું હોવાનું નિશ્ચિતપણે માની શકાય છે. ઉપરાંત, સં. ૧૫૭૬માં ખેત્રપાલવાડામાં એક જિનાલય હોવાનો ઉલ્લેખ મળે છે. સંભવ છે કે તે જિનાલય શીતલનાથનું જ હોય. પણ પૂરતા આધાર વિના તેનો સમય સં ૧૫૭૬ નક્કી કરી શકાતો નથી. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. પડીગૂંદીનો પાડો શીતલનાથ (સં. ૧૭૭૭ પૂર્વે) પાટણનાં જિનાલયો પડીગૂંદીના પાડામાં થોડાક અંદર જઈએ એટલે શ્રી શીતલનાથનું ઘુમ્મટબંધી જિનાલય નજરે પડે. બહારથી જોતાં જ એની કલાકારીગરી અને સુંદર રંગકામ મનને મોહી લે છે. ઠેકઠેકાણે દેવી તથા પૂતળીઓની બેનમૂન શિલ્પાકૃતિઓ એના આકર્ષણમાં ઉમેરો કરે છે. જિનાલયની છેક ઉપરની દીવાલ પર દેવીઓ તથા પ્રવેશચોકીના થાંભલાના ઉપરના ભાગમાં પૂતળીઓની રચના છે. પ્રવેશદ્વારે બે દ્વારપાળ ઊભેલા છે. આ મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ પર બે બાજુ તથા ઉપરની દીવાલ પર પણ દેવીનાં શિલ્પો છે. એ સિવાયના અન્ય બે પ્રવેશદ્વાર પર મયૂરાકૃતિ સુંદર ભાસે છે. પ્રવેશતાં, જમણી બાજુએ ગોખમાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ છે. રંગમંડપનું અંદરનું દૃશ્ય પણ આહ્લાદક છે. છતમાં સૂર્ય, ચંદ્ર, પૂજા કરવા જતાં શ્રાવકશ્રાવિકા, ઉપદેશ આપી રહેલા સાધુ મહારાજ, વાજિંત્રો વગાડતા શ્રાવકો, અધ્યયન કરી રહેલા શ્રાવકો વગેરેનાં આકર્ષક ચિત્રો જૈન ધર્મની સાધના-પ્રક્રિયાનું નિદર્શન કરે છે. અહીં થાંભલા પર કમાનો તથા વાજિંત્રો સાથેની નર્તકીઓનું શિલ્પ સુંદર દીસે છે. આ દરેક થાંભલા પર મોટા સાદા અરીસા મૂકેલા છે. ગર્ભદ્વારની ઉપરની દીવાલ પણ દેવીઓ, નર્તકી તથા મોરની રચનાઓથી શોભે છે. છેક ઉપરના ભાગમાં ઇન્દ્રના ખોળામાં બેઠેલા પ્રભુજીને વૃષભના રૂપમાં જન્માભિષેક કરતા દેવોનો પ્રસંગ ચિત્રિત કરેલો છે. બારસાખ પણ રંગીન કોતરણી તથા ચિત્રોથી શોભી રહી છે. Jain Education International મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા ૨૭” ઊંચાઈ ધરાવે છે. મૂળનાયકની પ્રતિમા ૫૨ ‘સંવત ૧૬૭૦ વર્ષે માઘ માસે શુક્લ પક્ષે સ્વપાટક શ્રેયસે શ્રી શીતલનાથ બિંબં કારિત ....... પ્રતિષ્ઠિત ચ શ્રી તપાગચ્છે શ્રી અકબ[૨] .’ એ મુજબનો લેખ છે. ઉપરાંત ગભારામાં અન્ય ત્રણ આરસપ્રતિમા બિરાજમાન છે. સ્ફટિકની એક પ્રતિમા છે. ઓગણીસ ધાતુપ્રતિમા છે. જમણે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy