SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પાટણનાં જિનાલયો ચૈત્યપરિપાટી, સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટી તથા સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પ્રાપ્ત થાય છે. સં. ૧૬૧૩માં કોકાના પાડામાં મહાવીરસ્વામીના જિનાલયમાં બે કાઉસ્સગ્નિયાનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૬૪૮માં મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. પરંતુ બે કાઉસ્સગ્નિયાનો ઉલ્લેખ કોકા પાર્શ્વનાથના જિનાલયમાં જોવા મળે છે. આજે કોકા પાર્શ્વનાથના જિનાલયમાં ગર્ભદ્વારમાં મૂળનાયક કોકા પાર્શ્વનાથની ડાબી બાજુ મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. સંભવ છે કે સં૧૬૧૩માં વિદ્યમાન મહાવીર સ્વામીના જિનાલયની પ્રતિમાઓ મુખ્યત્વે કોકા પાર્શ્વનાથના જિનાલયમાં પુનઃ સ્થાપિત થઈ હોય. ઉપરાંત સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અને સં૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કોકાનો પાડો વિસ્તારમાં કોકા પાર્શ્વનાથનું જિનાલય શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. જિનાલયમાં ઓગણચાળીસ આરસપ્રતિમા અને છ— ધાતુપ્રતિમા વિદ્યમાન હતી અને પગલાંની એક જોડનો નિર્દેશ થયેલો હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કોકાનો પાડો વિસ્તારમાં કોકા પાર્શ્વનાથનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૯૬૩થી સં. ૨૦૧૦ સુધીમાં જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય તે શક્ય છે અને તેથી જ અગાઉ શિખર વિનાનું નિર્દેશિત જિનાલય ઘુમ્મટબંધી હોવાનો અહીં ઉલ્લેખ છે. તે સમયે વીસ આરસપ્રતિમા અને ઈક્વાસી ધાતુપ્રતિમા બિરાજમાન હતી અને વહીવટદારનું નામ શેઠ મોહનલાલ ત્રિભોવનદાસ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત જિનાલયની સ્થિતિ તે સમયે પણ સારી દર્શાવવામાં આવેલી છે. આજે આ ઘુમ્મટબંધી જિનાલયમાં ત્રેવીસ આરસપ્રતિમા બિરાજમાન છે. તેના વહીવટદાર તરીકે કોકાના પાડામાં જ રહેતા શ્રી નાથાલાલ વાડીલાલ શાહ, શ્રી શશીકાંતભાઈ ભોગીલાલ શાહ અને શ્રી નરોત્તમદાસ મોતીલાલ શાહ સેવાઓ આપે છે. આ ઉપરાંત કેટલાક પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન તીર્થમાલાઓ તથા સ્તવનોમાં મળતા ઉલ્લેખો શ્રી કોકા પાર્શ્વનાથ તીર્થની પ્રાચીનતાનો પુરાવો આપે છે. સં. ૧૯૫૫માં આસો સુદ ૧૦ના દિને શ્રી સ્થંભન પાર્શ્વનાથની છત્રછાયામાં રહીને કવિવર શ્રી પ્રેમવિજયે વર્ણાનુપ્રાસ અલંકારની મોહક રચનાવાળી “ત્રણસો પાંસઠ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં શ્રી કોકા પાર્શ્વનાથનું નામ પણ ગૂંચ્યું છે. સં. ૧૬૫૬માં આસો વદ ૯ને મંગળવારે કવિ શ્રી નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના છંદ'માં પણ પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વપ્રભુજીનાં વિવિધ નામોમાં શ્રી કોકા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy