SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સં. ૨૦૦૮માં પાર્શ્વનાથની સાથે ચૌમુખજીનો ઉલ્લેખ થયેલો છે. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ભીડભંજન પાર્શ્વનાથ તરીકે થયેલો છે. જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં અઢાર આરસપ્રતિમા અને ચાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. વહીવટ શેઠ ધરમચંદ ઉદયચંદની પેઢી હસ્તક હતો. પાટણનાં જિનાલયો આજે જિનાલયમાં તેર આરસપ્રતિમા તથા પચાસ ધાતુપ્રતિમા બિરાજમાન છે. વહીવટ પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ હસ્તક છે. અમારી માન્યતા પ્રમાણે ભીડભંજન પાર્શ્વનાથનું આ જિનાલય સં૰ ૧૯૫૯ પૂર્વેનું છે. સં. ૧૭૭૭ પૂર્વેનું હોવાનો સંભવ છે પણ તે પુરવાર કરવા માટે વધુ સંશોધનની તથા અન્ય આધારભૂત પુરાવાઓની જરૂર છે. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનું કંપાઉંડ, પીપળાશેરી મહાવીરસ્વામી (સં. ૧૯૬૩ પૂર્વે) પીપળાશેરીમાંના શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના વિશાળ કંપાઉંડના ખૂણામાં શ્રી મહાવીરસ્વામીનું ઘુમ્મટબંધી સુંદર રંગકામયુક્ત જિનાલય આવેલું છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપરની દીવાલો, બારસાખ તથા થાંભલાઓ ઉપર સુંદર રંગસભર કોતરણી છે. થાંભલા ઉપર રંગીન પૂતળીઓ તથા કમાનો પણ રંગસભર છે. ટૂંકમાં પ્રવેશદ્વારનો બહારનો ભાગ આકર્ષક બનાવેલો છે. આ જિનાલયમાં ત્રણ જુદી જુદી દિશાઓમાં ત્રણ અલગ-અલગ ગભારાઓ છે. ૧. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીનો ગભારો, ૨. જમણી બાજુ શ્રી સુપાર્શ્વનાથનો ગભારો અને ૩. અન્ય ગભારો. રંગમંડપની છતની ધારી ઉપર સુંદર ફૂલો, વૃક્ષો, કુમારિકાઓનાં નાનાં શિલ્પો રંગકામયુક્ત છે. મુખ્ય ગર્ભદ્વારની બારસાખ તેમજ દ્વાર ઉપર પિત્તળમાં કોતરણી છે. અહીં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૧૯” ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકની આજુબાજુના શ્રી આદેશ્વર તથા શ્રી નમિનાથની પ્રતિમાઓ જોગીવાડા શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવા સં ૨૦૫૧માં આપવામાં આવેલ છે. ગભારામાં સં ૧૯૫૫નો લેખ ધરાવતી આરસનાં પગલાંની એક જોડ છે. અહીં ત્રણ આરસપ્રતિમા તથા અઠ્યાવીસ ધાતુપ્રતિમા છે. Jain Education International રંગમંડપમાં પ્રવેશતાં, મૂળનાયકની ડાબી બાજુએ અન્ય એક ગભારો છે. જેમાં મધ્યે ૧૫' ઊંચાઈ ધરાવતી આરસપ્રતિમા બિરાજે છે. પ્રતિમા પર લાંછન ઘસાઈ ગયું હોવાથી નામ જાણી શકાતું નથી. અહીં કુલ પાંચ આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા છે. ગભારાની ત્રણે દીવાલો પર નાના ટુકડાઓમાં અરીસાઓ જડેલા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy