SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પાટણનાં જિનાલયો પથ્થરો પણ તેની કાર્યક્ષમતાના પ્રમાણમાં તેમાં વાપરવામાં આવ્યા છે જેમાં શિલ્પશાસ્ત્રના ગણિત અને નિયમાનુસાર તેની બાંધણી ગોઠવાઈ છે. આ મંદિરના શિલ્પી, શિલ્પ વિશારદ શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા છે. તેઓ ભારત સરકારના માન્યવર સ્થપતિ છે. તેઓ તેમજ અન્ય શિલ્પી વર્ગ આ અદ્દભુત ચૈત્યના નિર્માતા છે. પ્રભાશંકરના વડીલોએ સિદ્ધગિરિ ઉપર ટૂકો બાંધી છે, પ્રભાશંકરે બીજાં પણ અનેક ભવ્ય મંદિરો બાંધ્યાં છે. બાવન જિનાલયોનું કોતરકામ આ બાવન જિનાલયનાં પ્રત્યેક સ્થળો–ઘુમ્મટો, સ્તંભો, ચોકીઓ, છતો, દીવાલો, મંડપ, દ્વાર, શાખાઓ, ઉત્તરંગો, મંડોવર અને શિખરો વગેરે સર્વે સ્થળો–અદ્ભુત કરણીથી જુદા જુદા પ્રકારની કલાત્મક પ્રતિકૃતિઓથી અને અનન્ય પ્રતીકોથી અંકિત થયેલા છે. દેરાસરના પ્રવેશદ્વાર આગળનો ઘુમ્મટ કલામય બનાવાયો છે. તેના સ્તંભોમાં દિક્પાલો, વિદ્યાદેવીઓ આદિ કોતરાયેલા છે, ઘુમ્મટ અંદરથી અલંકૃત છે, તેની ઉપરના ભાગમાં સમવર્ણા કરવામાં આવી છે. સમવર્ણાની ચારે તરફ ઝરૂખા અને ફરતાં દેવ-દેવીઓનાં સુંદર સ્વરૂપો કોતરાયેલાં છે. પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરતાં છ ચોકી આવે છે, તેની છત આબુની કોરણીને પણ યાદ કરાવે છે, તેથી આગળ જતાં વિશાળ મૃત્યમંડપ આવે છે. આ નૃત્યમંડપના આગળના બે સ્તંભોમાં દિપાલો, વિદ્યાદેવીઓ આદિ કોતરાયેલા છે. નૃત્યમંડપથી આગળ જતાં ત્રણ ચોકી આવે છે જેની છત અભુત કોરણીવાળી છે અને તેની દીવાલો ઉપર ચૌદ સુપન અને અષ્ટમંગલ કોતરેલાં છે, પછી અંદર પ્રવેશ કરતાં ગૂઢમંડપ આવે છે, ગૂઢમંડપની પૂર્વે ત્રણ પ્રવેશદ્વાર છે અને ઉત્તર-દક્ષિણે એકેક દ્વાર છે. નૃત્યમંડપ અને ગૂઢમંડપના ઘુમ્મટોની અંદર પુષ્કળ પ્રમાણમાં પથ્થરની નકશીકારીગરીવાળી કોરણી કરવામાં આવી છે, મધ્ય ભાગમાં લટકતા ઝુંમર જેવાં, મોટા પથ્થરોનાં કમળો કોરી બનાવવામાં આવ્યાં છે જેને પદ્મશિલા કહેવામાં આવે છે. ઘુમ્મટના પ્રત્યેક થરો નકશી કોતરકામથી અલંકૃત છે, તેના રૂપથરમાં ચોવીસ તીર્થંકર અને તેમના યક્ષયક્ષિણીનાં સ્વરૂપો કોતરવામાં આવ્યા છે, તેમજ હંસ પંક્તિ અને વૃષભ હરિણ અશ્વ ગ્રાસમુખ આદિ પંક્તિબદ્ધ કોતરવામાં આવ્યા છે અને ઊડતા વિદ્યાધરોનાં રૂપો તથા વિદ્યાદેવીઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે. ગૂઢમંડપની આગળ જતાં ગૂઢમંડપ અને ગર્ભગૃહની વચ્ચેનો ભાગ આવે છે જેને અંતરાલ અથવા કવલી કહેવામાં આવે છે, તેની બન્ને બાજુએ કલામય આરસના ગોખલાઓમાં પ્રભુજી બિરાજમાન છે. પછી ગર્ભગૃહ છે, ગર્ભગૃહનાં ત્રણ પદ , તેમાં મધ્યમાં વિશાળ આરસના નકશી કોતરણીવાળા સુંદર પરિકરમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે, તેમજ પડખે દક્ષિણ બાજુએ શ્રી મહાવીરસ્વામીની અને ઉત્તર બાજુએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy