SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૩૮૭ ૧૨૦૪ – ૧૨૦૬ પછી ૧૨૦૭ – દરિયાઈ વેપારી કુબેરદત્તના ઘરમાં રત્નજડિત જિનચૈત્ય ઘરદેરાસર હતું. તેમાં ભોંયતળિયે રત્નો જડેલાં હતાં. જિનપ્રતિમા પણ ચંદ્રકાંતમણિની હતી. કુમારપાલના મહામાત્ય પૃથ્વીપાલે વિદ્યાધરગચ્છના શેઠ નીનાના બંધાવેલા ભ, ઋષભદેવના મંદિરમાં રંગમંડપ કરાવ્યો ઉપરાંત માતાના કલ્યાણ માટે પંચાસરા પાર્શ્વનાથના દેરાસરમાં રંગમંડપ કરાવ્યો. આચાર્ય હેમચંદ્રસૂરિ પાટણ પધાર્યા. તે સમયે તેમના માતા પૂ. પ્રવર્તિની પાહિનીજી પાટણમાં કાળધર્મ પામ્યા. આસોમપ્રભસૂરિએ “સુમતિનાહચરિયું' (ગ્રં. ૯૫00)ની મહામાત્ય સિદ્ધપાલની પોષાળમાં રચના કરી. મહામાત્ય બાહડે પાટણથી શત્રુંજયનો મોટો સંઘ કાઢી શત્રુંજયના મુખ્ય મંદિરને પાકા પથ્થરનું બનાવરાવી તેમાં આશ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમાં એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આ કક્કસૂરિએ પોતાની પાટે દેવગુપ્તસૂરિને સ્થાપ્યા અને સ્વર્ગગમન કર્યું. ૧૨૦૮ – થી ૧૨૪૦ ૧૨૧૧ – ૧૨૧૨ પછી ૧૨ ૧૩ અંચલગચ્છની સ્થાપના થઈ. '૧૨૧૩ – આ. શ્રીચંદ્રસૂરિએ મંત્રી પૃથ્વીપાલની પ્રાર્થનાથી ચોવીસે જૈન તીર્થકરોનાં ચરિત્ર થી ૧૨૧૬ : પ્રાકૃત અપભ્રંશાદિ ભાષામાં રચ્યાં હતાં. દરમ્યાન – ૧. રાજા કુમારપાળે ‘કુમારવિહાર' બંધાવ્યો. તેમાં મૂળનાયક તરીકે નેપાલથી આસપાસ' મંગાવેલ ચંદ્રકાંત મણિની ૨૧ અંગુલપ્રમાણ ભય પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૨. રાજા કુમારપાળે ‘ત્રિભુવનપાલવિહાર'ની પ્રતિષ્ઠા કરાવી. ૧૨૧૬- – ૧. શેઠ છિદ્રક (છાડા) વંશાવલીનો શેઠ છાડા વીશા પોરવાડ જ્ઞાતિનો મોટો ધનાઢ્ય વેપારી હતો. તેણે મંત્રી વાહડના દેરાસરના એક ગોખમાં કસ. આ હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી ભ. અજિતનાથની ચમત્કારી પ્રતિમા સ્થાપના કરી હતી. . આ હરિભદ્રસૂરિએ કાર્તિક સુદ ૧૩ને સોમવારે પાટણમાં અપભ્રંશ ભાષામાં નેમિનાથ ચરિય'ની રચના કરી. ૧૨૧૭. શ્રી જયસિંહસૂરિએ દિગંબરાચાર્ય છત્રસેનને વાદમાં જીતી લીધા. છત્રસેન આસપાસ ભટ્ટારક શિષ્યો સહિત શ્રી જયસિંહસૂરિના શિષ્ય બન્યા. બધા સાલવીઓ પણ શ્વેતાંબર બની ગયા. તેમની દિગંબરની શ્રી નેમિનાથજીની પ્રતિમાને કંદોરો કરાવી શ્વેતાંબરી બનાવી ત્રીસેરીના જિનાલયમાં પધરાવવામાં આવી. તે જિનાલય આજે પણ વિદ્યમાન છે. ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy