SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ તેમજ તેમના શિષ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે વર્ષો સુધી પાટણ રહી વ્યવસ્થિત કર્યા હતા. ૩૫૨ પાટણના ભંડારોનું સાહિત્ય વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે અંગે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પાટણનો શ્રી સંઘ ચિંતા સેવ્યા કરતા હતા. આ માટે સન ૧૯૩૩ની સાલમાં બધા જ્ઞાનભંડારોને એકત્રિત કરવાની યોજના કરવામાં આવી હતી પણ આ યોજના આગળ વધી શકી નહિ. આ કાર્ય પાટણ માટે અગત્યનું છે, તે શેઠ શ્રી હેમચંદ મોહનલાલ ઝવેરી તથા તેમના ભાઈઓ શ્રી ભોગીલાલ મોહનલાલ, શ્રી મણિલાલ મોહનલાલ તથા શ્રી ચંદુલાલ મોહનલાલના ધ્યાન પર આવ્યું અને તેઓએ તેમના પિતાશ્રી શેઠ શ્રી મોહનલાલ મોતીચંદના સ્મરણાર્થે પાટણના શ્રી સંઘ પાસેથી રૂા. ૨૧૦૦=માં જગ્યા લઈ રૂ।. ૫૧૦૦૦|=ના ખર્ચે આ જ્ઞાનમંદિર બંધાવી શ્રી સંઘને અર્પણ કર્યું અને રૂા. ૧૦૦૦0|= નિભાવ માટે આપ્યા. આ જ્ઞાનમંદિરની સ્થાપત્યકળા પૂર્વપશ્ચિમના સંમિશ્રણ રૂપ કંઈક નવીન છે. તેનું કારણ બેલ્જિયમના વિખ્યાત આર્કિટેક્ટ Mr. Gaspar પાસે તેનો પ્લાન કરાવવામાં આવ્યો હતો. (Mr. Gasparને હૈદ્રાબાદના નિઝામે યુનિવર્સિટી માટે ખાસ બોલાવ્યા હતા.) શ્રી હેમચંદભાઈએ તથા તેમના ભાઈઓએ સ્થાપત્ય માટે ઘણી તપાસ કરી હતી પણ જ્ઞાન ભંડારને શોભે તેવું ભવ્ય સ્થાપત્ય ધ્યાનમાં નહીં આવવાથી Mr. Gaspar પાસે પ્લાન કરાવ્યો હતો. જ્ઞાનમંદિર સેંકડો વર્ષ ટકી શકે તેવું મજબૂત આગપ્રૂફ બનાવવામાં આવ્યું છે. આ જ્ઞાનમંદિરનું ઉદ્ઘાટન સંવત ૧૯૯૫માં તા. ૭ એપ્રિલ ૧૯૩૯માં તે વખતના મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે કરવામાં આવ્યું હતું અને તેની સાથે કલિકાલસર્વજ્ઞ “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર” તરીકે જાહેર કરવામાં આવ્યું. તે સમયે આ જ્ઞાનમંદિરમાં ત્રણ ભંડારો (સંઘવીના પાડાનો, ભાભાના પાડાનો તથા ખેતરવશીના પાડાનો એ ત્રણ ભંડારો) સિવાયના તમામ ભંડારોના ગ્રંથો લોખંડના ૪૦ મજબૂત કબાટોમાં જુદા જુદા ભંડારના નામ સાથે મૂકવામાં આવ્યા. તે પૈકી સંઘવીના પાડાનો જ્ઞાનભંડાર પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જમ્મૂવિજયજી મહારાજની પ્રેરણાથી ઈ. સ. ૧૯૮૨ની આસપાસ, તેના વહીવટકર્તાએ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સમર્પિત કર્યો હતો. આ ગ્રંથોને લાકડાનાં માપસર બોક્ષો બનાવી નંબર આપી મૂકવામાં આવ્યા છે. જ્ઞાનભંડારના ઉદ્ઘાટન પછી ઘણા ગ્રંથો શ્રી હેમચંદ મોહનલાલ અને તેમના ભાઈઓ તરફથી ખરીદી મૂકવામાં આવ્યા છે. લગભગ ૨૩૦ તાડપત્રીય તેમજ ૨૦૦૦૦ હસ્તલિખિત તથા ૨૦૦૦ છાપેલા ગ્રંથો આ ભંડારમાં છે. લગભગ અગિયારમી સદીથી માંડીને અત્યાર સુધીના ગ્રંથો ભંડારમાં છે જેમાંના કેટલાક ગ્રંથો સોનેરી રૂપેરી શાહીથી લખેલા છે તેમજ ચિત્રોવાળા પણ છે. આ જ્ઞાનમંદિરમાંના આ ભંડારો પાટણના શ્રી જૈન સંઘની માલિકીના છે અને તેની વ્યવસ્થા શ્રી સંઘે નીમેલી કિંમટી મારફતે ચાલે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અઢળક સાહિત્ય-સર્જન કરી પાટણનું નામ અમર કર્યું છે. પાટણના આ જ્ઞાન ભંડારોની ઉન્નતિ તેમને આભારી છે. તેમણે પાટણની પ્રજાને અમૂલ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy