SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો જિનાલયનો વહીવટ આ સોસાયટીમાં રહેતા શ્રી જયંતિલાલ પૂનમચંદ શાહ અને શ્રી મહેન્દ્રભાઈ જયંતિલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી હસમુખભાઈ રીખવચંદ શાહ હસ્તક છે. ભારતી સોસાયટી શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૨૩) ભારતી સોસાયટીમાં પ્રવેશતાં ડાબી બાજુ બહેનોના ઉપાશ્રયની બાજુમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. બીજી બાજુ પુરુષોનો ઉપાશ્રય છે. લોખંડનો જાળીવાળો ઝાંપો છે. તેની ઉપર બે હાથી અને વચ્ચે લક્ષ્મીદેવીની રચના છે. અંદર પ્રવેશતાં સાદા પથ્થરની રંગકામયુક્ત શૃંગારચોકી છે. ચાર પગથિયાં ચડીએ એટલે જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાના ત્રણ પ્રવેશદ્વાર આવે છે. અહીં ચોક છે અને તેની ફરતે આરસની સુંદર થાંભલીઓની કોટ જેવી રચના કરેલ છે. રંગમંડપ અષ્ટકોણીય છે. તેમાં પ્રવેશતાં બન્ને બાજુની દીવાલો પર સુંદર પટ છે. રંગમંડપમાં બે બાજુના ગોખમાં શ્રી ધર્મમ્મૂવજયજી તથા શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજીની ગુરુમૂર્તિઓ છે. ગભારા પાસેના બે ગોખમાં પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષની નાની મૂર્તિઓ છે. ગભારાને પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. ભોમતીમાં મંગલમૂર્તિ છે. ૨૭૧ ગર્ભદ્વાર એક છે. ગભારામાં ૨૧' ઊંચાઈ ધરાવતી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મનોહર મૂર્તિ બિરાજે છે. વીર સં ૨૪૯૩, વિક્રમ સંવત ૨૦૨૩ જેઠ સુદ ૩ રવિવારે ચંદુલાલ ઉત્તમચંદના શુભ હસ્તે શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ સાની નિશ્રામાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. ગભારામાં પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ આ સોસાયટીમાં રહેતા શ્રી જીવણભાઈ વી. શાહ, શ્રી જયંતિલાલ મોતીલાલ શાહ તથા શ્રી મંગળભાઈ ફકીરચંદ શાહ હસ્તક છે. Jain Education International કુમારપાળ કો. ઓપ. હા સોસાયટી આદેશ્વર (સં. ૨૦૫૫) ચાણસ્મા ચાર રસ્તા પર સર્વોદય હોટલની પાછળ ૧૩૨ ઘર ધરાવતી કુમારપાળ કો ઓપ. હા. સોસાયટીમાં શ્રી આદેશ્વરનું શિખરબંધી ભવ્ય અને વિશાળ નૂતન જિનાલય આવેલું છે. અહીં શ્રી આદેશ્વરની ૫૧” ઊંચી પ્રતિમા સં. ૨૦૫૫ના ફાગણ વદ ત્રીજના રોજ મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયા છે. મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી રતનચંદ મગનલાલ દેસાઈ તથા શ્રી સુધીરભાઈ કેશવલાલ ભણશાળી પરિવારે લીધેલ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy