SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૬૯ ત્રણેય જિનાલયોની સ્થિતિ સારી હતી. આજે આ જિનાલયમાં આદેશ્વરનું ઘરદેરાસર પધરાવવામાં આવ્યું છે. જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી નવીનચંદ્ર રતિલાલ શાહ તથા શ્રી બાલુભાઈ છોટાલાલ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. આશિષ સોસાયટી, રાજમહેલ રોડ શ્રી સહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૨૦૩૫) આશિષ સોસાયટીમાં પ્રવેશતાં વચ્ચોવચ શ્રી સહસ્ત્રફણા ચિંતામણિ પાર્થનાથનું આરસનું શિખરબંધી ભવ્ય જિનાલય આવેલું છે. જિનાલયનું નિર્માણ સં૨૦૩૫માં થયેલ છે. પ્રતિષ્ઠા આ. શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજીની નિશ્રામાં કરવામાં આવી છે. બહારના કોટ પર આરસની નાની થાંભલીઓ અને તેની ઉપર નાનાં નાનાં શિખરો જેવી રચના થોડા થોડા અંતરે કરેલ છે. બે બાજુ દીવાલ પર ધર્મચક્ર છે, હાથી તથા ઉપર કમાન પર લક્ષ્મીદેવીની રચના છે. તેની નીચે મંગલ કલશ છે. લોખંડનો સાદો સુંદર ઝાંપો છે. દશ પગથિયાં ચડતાં આરસનો વિશાળ ચોક આવે છે. પ્રવેશદ્વાર ત્રણ છે. શૃંગારચોકીમાં થાંભલા રંગીન પથ્થરના કરેલા છે. અહીં વિદ્યાધર દેવ દેવીઓની શિલ્પાકૃતિઓ છે. રંગમંડપ નાનો છે. બન્ને બાજુ અન્ય બે પ્રવેશદ્વાર છે. અહીંથી બહાર નીકળતાં એક બાજુ ધરણેન્દ્ર તથા બીજી બાજુ પદ્માવતીદેવીના ગોખ છે. રંગમંડપની દીવાલોમાં ઉપરના ભાગમાં ઘણાં ચિત્રો છે. આ ચિત્રોનું કામ ખૂબ જ સુંદર છે. વળી, આરસમાં ઉપસાવેલ શત્રુંજય તથા સમેતશિખરનો પટ છે. રંગમંડપમાં ઘુમ્મટ પાસેની કમાનોમાં શિલ્પો તથા ચૌદ સ્વપ્નો ઉપસાવ્યાં છે. તે - કોતરણીવાળું એક ગર્ભદ્વાર ઉપર હાથી, પરી તથા નીચે દ્વારપાલની કૃતિઓ દેખાય છે. ગભારામાં ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી સહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની પ્રતિષ્ઠાનો લાભ સ્વ. શ્રી ભગવાનદાસ લલ્લુભાઈ શાહના સુપુત્રોએ લીધેલ છે. જિનાલય નિર્માણ વખતે ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવેલ આદેશ્વરની પ્રતિમા પણ અત્રે બિરાજમાન છે. રંગમંડપની બે બાજુ સામરણયુક્ત શિખરવાળી બે દેવકુલિકાઓ છે. તે પૈકી ડાબી બાજુની દેવકુલિકામાં મૂળનાયક શ્રી સંભવનાથ છે. પ્રતિમાની ઉપર અશોકવૃક્ષ તથા તેની નીચે કળશ સાથેની ઇન્દ્રની કૃતિ છે. તેના નીચેના ભાગમાં છત્ર છે. પ્રતિમાનું મુખ નમણું દ. આ દેવકુલિકાની અંદરના ભાગમાં દીવાલ પર લેખ છે : “શા. બાબુલાલ મંગળજી ઊંબરીવાળા આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy