SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૫૯ કલાકારીગરી જીર્ણોદ્ધાર કરતી વેળાએ સાચવી લેવામાં ન આવી તે ગુજરાતની જૈન કલાપરંપરાના ઇતિહાસની એક દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ કલાકારીગરીના તે સમયના સચવાયેલ ફોટોગ્રાફસની એક પ્રતિકૃતિ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા અને અઠ્યાવીસ ધાતુમતિમાં બિરાજમાન હતી. વહીવટ શાહ મોહનલાલ વાડીલાલ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક છે. વાડી પાર્શ્વનાથના ગભારામાં ભગવાનના સિંહાસન પાસે કોતરણીયુક્ત તોરણોના સ્તંભોની નીચેના ભાગમાં સં. ૧૬૫૧નો લેખ છે. તથા ચૌમુખી પ્રતિમા પૈકીની પ્રતિમા પર સં. ૧૬૫૩નો લેખ છે. ઉપરાંત ઉપરના માળે મૂળનાયક આદેશ્વરની પ્રતિમા પર સં. ૧૬૬૭નો લેખ છે. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીનું સંપાદન મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મ. સા.એ કર્યું હતું જે હસ્તપ્રતનો આ સંપાદનમાં આધાર લીધો હતો તે હસ્તપ્રત પણ સં૧૬૪૮માં લખાયેલી હતી. તે સમયે પ્રસ્તુત ચૈત્યપરિપાટીમાં અગાઉ ઉપર જણાવ્યા પ્રમાણે વડીપોસાળના પાડામાં વાડીપુરમંડન પાર્શ્વનાથનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત વાડીપુર પરામાં પણ અમીઝરા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે. એટલે કે અમીઝરા પાર્શ્વનાથ તથા વડીપોસાલમાંનું વાડીપુરમંડન એક જ સમયે વિદ્યમાન હતાં. તેથી વાડીપુરના અમીઝરા પાર્શ્વનાથ વડીપોસાલમાં વાડી પાર્શ્વનાથ તરીકે ઓળખાયાના તે મુજબના અભિપ્રાયની પુનઃ ચકાસણી કરવી જરૂરી લાગે છે. સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટી સં. ૧૫૭૬માં રચાઈ છે. પાટણ નગરના પરામાં આવેલા જૈન મંદિરોનો તેમાં ઉલ્લેખ છે. વાડી દઉલતપુરિ સહી સા ભમરોલી, ભવિયણ સારઇ સેવ, વડલી, વાવડી, કણિગિરઈ સા ભમ, નમસિ૩ સીસ નમેવિ. કતલપુરિ પણમઉં સદા સા ભમ, મંગલપુરી જિણચંદ ત, ઇણ પરિ ચૈત્રપ્રવાડિ કરી સા ભમ, ભેટ્યા સંતિ જિદ ત. એમાં નિર્દિષ્ટ પર પૈકી વાડી, દોલતપુર અને કતીપુર હાલ નથી. વડલી અને વાવડી એ હાલના પાટણની પશ્ચિમે આવેલાં નાનાં ગામ છે. “કણિગિરિ એ પાટણથી નૈર્ઝત્ય ખૂણે ચારેક માઈલ દૂર આવેલું કુણઘેર છે. પ્રબન્ધાદિમાં એનું ‘કુમરગિરિ' નામ મળે છે. રાજા કુમારપાળે ત્યાં બંધાવેલા એક મંદિર ઉપરથી એ નામ પડ્યું છે. આમ અહીં ઉપલબ્ધ સ્રોતને આધારે જિનાલયની સાલ નક્કી કરવી મુશ્કેલ છે. શિલાલેખને આધારે જિનાલય સં. ૧૬૫રના સમયનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy