SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ પાટણનાં જિનાલયો આજે શ્રી નારંગા પાર્શ્વનાથ તથા આદેશ્વરના સંયુક્ત જિનાલયમાં કોતરવામાં આવેલો એક શિલાલેખ છે જે લેખ સં. ૧૯૬૧ના સમયમાં લખવામાં આવ્યો છે. જિનાલયના ખાતમુહૂર્ત તથા પ્રતિષ્ઠાના સં. ૧૬૫૫ તથા સં. ૧૬૫દનો ઉલ્લેખ કરેલો છે. સંભવ છે કે સં. ૧૬૪૮ પછી નારિંગપુર વિસ્તારમાંથી નારંગા પાર્શ્વનાથનું જિનાલય ખસેડીને આદેશ્વરના જિનાલયની સાથે નવેસરથી નિર્માણ થયું હોય. આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ વડીપોસાળના પાડામાં સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે આ વિસ્તાર પોસાળનો પાડો તરીકે પ્રચલિત હતો. ત્યારબાદ વડીપોસાળના પાડામાં સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે. એટલે કે સં. ૧૬૫૫માં આ બન્ને જિનાલયો જોડે જોડે નૂતન નિર્માણ પામ્યાં હોય. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વર તથા નારંગા પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આદેશ્વર, વાસુપૂજયસ્વામી, શાંતિનાથ અને નારંગા પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે. એટલે કે વાસુપૂજયની પ્રતિષ્ઠા આ જિનાલયમાં સં. ૧૯૫૯ પૂર્વે થયેલી છે. સં. ૧૯૬૭માં, સં. ૧૯૮૨માં, સં. ૨૦૦૮માં તથા સં૨૦૧૮માં આ સંયુક્ત જિનાલયમાં નારંગા પાર્શ્વનાથ, વાસુપૂજયસ્વામી, આદેશ્વર તથા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન હોવાની નોંધ મળે છે. આજે પણ આ ચાર ભગવાનના સંયુક્ત જિનાલયમાં શામળા પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૫૯માં સંયુક્ત જિનાલયમાં શાંતિનાથનો ઉલ્લેખ થયેલો છે તે સરતચૂકથી થયો હોવાનું શક્ય છે. પાર્શ્વનાથને બદલે સરતચૂકથી શાંતિનાથનો ઉલ્લેખ થયો હોવો જોઈએ. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. જિનાલયમાં દીવાલ પર લેખ છે જે નીચે મુજબ છે : શ્રી આદેશ્વર ભગવાન તથા શ્રી નારંગા પાર્શ્વનાથના બંને જોડે જોડે દેરા નવાંતલ ખોદાવી બંધાવ્યા છે. તેની તારીખ વારની ઇત્યાદિ નીચે લખ્યા પ્રમાણે વિગત : મીતિ વિક્રમ સંવત ૧૬૫૫ના વરષે વઈશાખ સુદી ૧૦ને વા. સુકરને દીવસે ખાટમુરત ભંડારી ચુનીલાલ મગનચંદ તથા જવેરી ભોગીલાલ લલુભાઈ જણ બેના હાથે થયેલું છે. તેની પ્રતીષ્ટાનું મુરત :- મીતી સંવત ૧૬૫દના માહા સુદી રને વા. સુકરના દીવસના ૧૧// વાગ્યાના તખતે બિરાજમાન થયા છે. શ્રી આદેસર ભગવાને તખત બેસાડનાર : શા મુલચંદ ખેમચંદ શ્રી નારંગા પાર્શ્વનાથને તખતે બેસાડનાર : શા મનસુખભાઈ દેલાચંદ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy