SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પાટણનાં જિનાલયો છે. છત ઉપર નર્તકીઓ ગોઠવવામાં આવી છે. ગર્ભદ્વારની બારસાખ રંગીન કોતરણીવાળી છે. મૂળનાયકના ગભારામાં ભગવાનની પાછળના ભાગની દીવાલ પર અરીસા તથા મીના કારીગરીથી સુંદર દશ્ય ઊભું કરવામાં આવ્યું છે. અહીં ગભારાની અંદર ખૂણામાં એક જ આરસ પર પગલાંની ત્રણ જોડ છે જે પૈકી દરેક પર સંવત ૧૮૯૦ વર્ષ સ્પષ્ટ વાંચી શકાય છે. પગલાંની છ જોડવાળો એક અન્ય આરસ બીજા ખૂણામાં છે જેના લખાણમાં સંવત ૧૭૯૨ના શ્રી વિજયશ્રીગણિના પગલાં હોવાનું વંચાય છે. અહીં દસ આરસપ્રતિમા અને છત્રીસ ધાતુપ્રતિમા તથા ઉપર નિર્દેશિત પગલાંની નવ જોડ છે. ઉપરાંત નવકાર મુદ્રામાં સાધુની આરસમૂર્તિ છે. જમણે ગભારે નેમિનાથ તથા ડાબે ગભારે આરસપ્રતિમા (પ્રતિમા પર લાંછન ઘસાઈ ગયું હોવાથી નામ પ્રાપ્ત થઈ શક્યું નથી.) બિરાજે છે. મૂળનાયક શ્રી નારંગા પાર્શ્વનાથના પરિકરમાં જમણી બાજુના કાઉસ્સગ્ગ નીચે લેખ છે. તે નીચે મુજબ વાંચી શકાય છે : ૧. સં. ૧૬૦૨ વર્ષે વૈ. ...... ૨. ૨ નારિગપુર પાર્શ્વનાથ ૩. પરિકરઃ પત્તન વાસ્તવ્ય પ. ૪. સહસવીરકેન કાપ્ર. તપાગચ્છ ભ. તથા જમણી બાજુના કાઉસ્સગ્ગ નીચે લેખ છે જે નીચે પ્રમાણે છે : ૧. શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ૨. શ્રી વિજયસેનસૂરિભિઃ પત્તનનગર શ્રી આદેશ્વરના જિનાલયના રંગમંડપમાં પણ બાજુના રંગમંડપ જેવું જ કોતરણીકામ છે. ગર્ભદ્વારની ઉપર તથા બારસાખમાં પણ રંગીન કોતરણી છે. ગભારાની અંદરના ભાગમાં એક ખૂણામાં ગોખમાં પગલાંની પાંચ જોડ છે જે પૈકી એક પાદુકા પર સં. ૧૮૯૦નો લેખ તથા અન્ય એક પાદુકા પર સં. ૧૮૪રનો લેખ છે. અહીં પંદર આરસપ્રતિમા અને સાડત્રીસ ધાતુપ્રતિમા તથા ઉપર નિર્દેશિત પગલાની પાંચ જોડ છે. ઉપરાંત ચોવીશજિનમાતાની આરસનો પટ છે. રંગમંડપના ગોખમાં એક પ્રતિમા છે. આમ અહીં કુલ પાંત્રીસ આરસપ્રતિમા તથા તત્તેર ધાતુપ્રતિમા છે. પગલાંની કુલ ચૌદ જોડ છે. અહીં રંગમંડપમાં શામળા પાર્શ્વનાથની શ્યામ આરસપ્રતિમા દેવકુલિકા જેવી રચનાવાળા ગોખમાં બિરાજે છે. તેની ઊંચાઈ ૧૮”ની છે. તથા અન્ય એક ગભારામાં મળે ૯" ઊંચાઈ ધરાવતી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા બિરાજે છે. અહીં નવ આરસપ્રતિમા છે. | જિનાલયમાં વિપુલ પ્રમાણમાં પટ-પ્રસંગોના ચિત્રો છે જેવાં કે – ગિરનાર, શત્રુંજય, પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, આબુ તથા રાણકપુરના પટો ઉપરાંત ઋષભદેવનું ઈશુરસથી પારણું, દીક્ષા કલ્યાણક, માતાને આવતા ચૌદ સ્વપ્નનું દર્શન, મુનિને થતો ઉપસર્ગ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy