SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૩પ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ આ વિસ્તારમાં સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથનાં જિનાલયોમાં કવિએ વંદન કર્યાની નોંધ કરી છે : શાવાડ– જિનપતિ પ્રણમામિ ભજ્યા, બોધકદાનવિબુધ વિબુધોપસેવ્યમ્ ||૧૪ જિન સુપાર્શ્વનાથં ચ, પાર્શ્વ તુ શામલાહયમ્ ભવ્યાજpકરે લોકે, બાંધવ લોકબાંધવમ્ II૧પી સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પણ સુપાર્શ્વનાથ અને શામળા પાર્શ્વનાથનાં જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ મળે છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પણ સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથનાં જિનાલયો વિદ્યમાન હતાં. આજે પણ શાહવાડામાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે. શાહવાડો સુપાર્શ્વનાથ (સં. ૧૬૧૩ પૂર્વે) શાહવાડામાં પ્રવેશતાં જ તુરત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. વર્ષો પૂર્વે આખો શાહવાડો જૈનોના ઘરોથી ભરેલો હતો જેમાં આજથી ૪૦ વર્ષ પહેલાં ફક્ત એક જ જૈન ઘર હયાત હતું પરંતુ હાલ તો જૈનની બિલકુલ વસ્તી જ નથી. દર્શન કે સેવા કરનાર કોઈ કરતાં કોઈ રહ્યું નથી. વર્ષગાંઠ કે દિવાળી જેવા તહેવારે કોઈ આવીને દર્શન કરે તેવી સ્થિતિ છે. જિનાલયની અડોઅડ ઘોઘાબાપજીનું મંદિર છે જયાં આખા પાટણના હિંદુઓ શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે. મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ્યા પછી બે વંડા જેવી રચના છે. તેને પસાર કર્યા બાદ એક મોટો ચોક છે. ચોકની સામે એક બાજુ પર એક દેરીમાં શ્રી રવિસાગરજી મહારાજ સાહેબના આરસના પગલાંની જોડ છે જેની પર “તપાગચ્છીય શ્રી મયાસાગરજી તત્ શિષ્ય નેમસાગરજી તત્ શિષ્ય રવિસાગરજી મહારાજની પાદુકા ૧૯૫૭ મહા સુદી રને શુક્રવારે સંઘે મલી પ્રતિષ્ઠા કરી પાટણ મળે” – એ મુજબનું લખાણ છે. જિનાલયના બહારના ભાગમાં ધાબાની પાળી પર એક મુખ અને બે શરીર ધરાવતા વાઘની રચના છે. ધાબાની દીવાલ પર એક ઘડિયાળની રચના છે જેમાં ૫ : ૦૫નો સમય છે. અહીં પ્રવેશચોકીના થાંભલા પર હાથીના મુખવાળી સુંદર કમાનો, તાપસ તથા પૂતળીઓનાં શિલ્પો તેમજ વિવિધ બાલસ્વરૂપો જેવા કે રડતાં બાળકો, ભણતાં બાળકો, રમતાં બાળકો તથા હાથમાં વાજિંત્ર સાથેનાં બાળકોનાં શિલ્પો જિનાલયની નવીનતા અને ભવ્યતાનો ખ્યાલ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy