SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ટાંગડિયાવાડામાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય એક વિશિષ્ટ રચનાવાળું છે. જિનાલયમાં ગણધરનાં પગલાં, આરસના સહગ્નકૂટની રચના, પટો, ચૌમુખજી, મેરુશિખર વગેરે તેની વિશિષ્ટતા છે. પાટણનાં જિનાલયોમાં મુખ્ય ગભારા ઉપરાંત રંગમંડપમાં દેવકુલિકાઓની રચનાવાળી બાંધણી વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીં મોટા ભાગનાં જિનાલયો જમીનથી વધુ ઊંચાઈએ – પગથિયાં ચડીને પ્રવેશી શકાય તેવી રચનાવાળાં છે. ગોદડના પાડાનું જિનેશ્વર આદીશ્વરનું જિનાલય, મણિયાતીપાડાનું પરમાત્મા મહાવીરસ્વામીનું જિનાલય, પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય, ત્રિશેરિયામાં ભનેમિનાથનું જિનાલય, ભાભાના પાડામાં ભાભા પાર્શ્વનાથનું જિનાલય, વાડી પાર્શ્વનાથનું જિનાલય, અષ્ટાપદનું જિનવર ચંદ્રપ્રભુનું જિનાલય વગેરે ઘણાં જિનાલયો આ પ્રકારની રચનાવાળાં છે. જિનાલયોના બહારના ભાગમાં પણ સુંદર કોતરણીયુક્ત શિલ્પોમાં રંગભેળવણીની કલાત્મક સૂઝ જોવા મળે છે. આછા રંગોનો વધુ ઉપયોગ થયેલો દેખાય છે. નારંગા પાર્શ્વનાથનું જિનાલય તેના આ પ્રકારના આછા રંગોની મેળવણીની સૂઝનો નિર્દેશ કરે છે. જિનાલયના બાહ્ય દેખાવમાં ઝરૂખાઓ ખાસ ધ્યાન ખેંચે છે. ઢંઢેરવાડામાં શામળા પાર્શ્વનાથ, કનાશાના પાડામાં શાંતિનાથનું મોટું જિનાલય તેમજ લખીયારવાડામાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય ઝરૂખાઓને કારણે સુંદર અને મનોહર લાગે છે. કેટલાંક જિનાલયોના રંગમંડપ તેમજ બહારના સ્થંભો પર સુંદર કોતરણી જોવા મળે છે. ફોફલિયાવાડામાં પરમાત્મા નેમિનાથના જિનાલયમાં રંગમંડપનું દશ્ય ખૂબ જ ભવ્ય લાગે છે. , ખેતરપાલના પાડામાં શીતલનાથના જિનાલયમાં પદ્માવતીદેવીની મૂર્તિ તથા અષ્ટાપદના પરમાત્મા ચંદ્રપ્રભુના જિનાલયના ભોંયરામાં બિરાજમાન અંબિકાદેવીની મૂર્તિ ભવ્ય અને ચમત્કારિક છે. ભવ્ય જિનાલયો તો અન્ય સ્થળે જોવા મળે પણ અહીં તો ઘરદેરાસરો પણ ભવ્ય જોવા મળે ! કલાકારીગરી અને હાંડી ઝુમ્મરોની શોભા જોઈને ચકિત થઈ જવાય. મણિયાતી પાડાનું કાકાજીનું ઘરદેરાસર તથા મણિયાતી પાડામાંનું દાંતીનું ઘરદેરાસર આના દૃષ્ટાંત સમું છે. કુંભારિયાપાડામાં પરમાત્મા સુપાર્શ્વનાથના ઘરદેરાસરની બાંધણી જિનાલય જેવી છે અને સુંદર પરિકરમાં મૂળનાયક બિરાજમાન છે. એક જમાનામાં પાટણમાં જ્યારે ૧૨૭ ઘરદેરાસરો હતાં. આજે ૧૦ ઘરદેરાસરો છે, જે પૈકી એક ઘરદેરાસર થોડા સમય પહેલાં જ પધરાવી દેવામાં આવ્યું છે. નગરશેઠ કુટુંબનું સહસ્ત્રકૂટનું ઘરદેરાસર સં. ૧૭૭૪ના સમયનું છે. જિનાલયમાં ભંડાર, દીવો, ત્રિગડા વગેરે ઉપકરણો પણ અત્યંત કલાત્મક છે. કેટલાંક જિનાલયોના ભંડારો ખૂબ જ વિશાળ કદના, પિત્તળના તથા ચાંદીના કલાત્મક કોરણીવાળા જોવા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy