SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૨૧ તંબોળીવાડો તંબોળીવાડો કે તંબોલીપાડો વિસ્તાર પાટણમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે. આ વિસ્તાર કુંભારિયાપાડો અને કપૂરમહેતાના પાડાની વચ્ચે આવેલો છે. સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તંબોલીપાડામાં સુપાર્શ્વનાથનું જિનાલય તથા અન્ય ચાર ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. સુપાર્શ્વનાથ, ૨. આદેશ્વર (ભણશાળી સોનાના ઘરે), ૩. શાંતિનાથ (થાવર પારેખના ઘરે), ૪. આદેશ્વર (મંડલિક પારેખના ઘરે) અને પ. પૂના પારેખનું ઘરદેરાસર. તિહાં થકી હવઈ ચાલીઆ એ, હયડઈ હરષ ધરી જઇ, તંબોલી પાડઈ જઈ જિન પૂજા કીજઇ ચૌદ બિંબ શ્રી સુપાસ અતિ સુંદર સોહબ, ભણસાલી સોના તણાં દેહરાસુર મોહઈ ત્રણ પ્રતિમાસું ઋષભદેવ વંદુ ભવી પ્રાણી, થાવર પારષિનઈ ઘરિએ તે ઉલટ આણી થ્યારિ પ્રતિમાસું શ્રી શાંતિદેવ જિન વંદન કીજઇ, મંડલિક પારષિ ઘરિ દેહરાસુર ત્રીજઇ ૯૮ બિબ ત્રણિર્ ઋષભદેવ પૂજી ફલ લેસું, પૂના પારષિને ઘરિ બિંબ ત્રણિ નમેસું. ૯૯ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તંબોલીવાડામાં સુપાર્શ્વનાથના જિનાલય ઉપરાંત અન્ય પાંચ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. સુપાર્શ્વનાથ, ૨. તીર્થકર નામ નથી, ૩. આદેશ્વર (વોરા રુપાના ઘરે), ૪. ચંદ્રપ્રભુ (મેઘા પારેખના ઘરે), ૫. ઘૂસીનું ઘરદેરાસર અને ૬. સંભવનાથ (શાહ સીરાજના ઘરે). તંબોલીવાડઈ આવીઆ ભાવી દેવા સુપાસ, પ્રતિમા દીપઇ ત્રસ્તુત્તરિ પૂરઇ જન-મન આસ. બીજઇ દેહરઇ જિનવર સાત નમઉ તે સાર, વહરા રુપા મંદિરિ આદિ જિણંદ ઉદાર ૩ળી પ્રતિમા દશ છઇ મનોહર સુર નર સારઇ સેવ, મેઘા પારષિ ઘરિ અછાં ચંદ્રપ્રભ જિન દેવ. પાંચ જ પ્રતિમા પ્રણમીએ આવ્યા ઘૂસીનઈ ગેહ, દોઇ જિર્ણોસર વંદીએ કીધા નિરમલ દેહ /૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy