SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ઊંચી પોળ, સોનીવાડો આજે સોનીવાડો તરીકે પ્રચલિત વિસ્તાર અગાઉ સોનારવાડો કે સોનીપાડો તરીકે ઓળખાતો હતો. સં ૧૬૧૩માં સંઘરાજચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સોનારવાડામાં શાંતિનાથ તથા મહાવીરસ્વામીનું સંયુક્ત જિનાલય દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ સંયુક્ત જિનાલય નવું હતું તેવો પણ ઉલ્લેખ છે : શાંતિસર મહાવીર નમુંઅ નિરંતર ધીર, સોનારવાડઇ વંદન, નવૂ દેહરું જગરંજન. જોતાં અનોપમ દીસઇ, તિહા પ્રતિમા છઇ ત્રેવીસઇ, ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સોનારવાડા વિસ્તારમાં શાંતિનાથ તથા મહાવીરસ્વામીના બે અલગ અલગ જિનાલયોની નોંધ આવે છે : સોનારવાડઇ શાંતિ નમું એ । પિંડમા ચઊદ ઉદાર । નારિંગ ॥૫॥ બીજઇ દેહરઇ વીરિજનૂ એ । પોઢી પિંડમા એક । નારિંગ ||૫૯૫ ૫૩ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં માત્ર મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : સોનારવાડે સુખદાયક શ્રીમહાવીર, છેતાલીસ પ્રતિમા પાસે ગુણગંભી૨ । સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં શાંતિનાથ તથા મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : ૨૦૧ સોનારવાડે નિરષીયે રે, ભુવન યુગલ અતિસાર, પ્રથમ નમું શ્રી વીરજી રે, સૂરતિ કી બલિહારી રે. Jain Education International ૧૦ ચૈ બીજું ભુવનેં સાંતિજી રે, મુઝ સાહબ સુખકાર, પ્રભુ પદકજ નિત્ય પ્રણમતા, દિન દિન જય જયકારો રે.૧૧ ચૈત્ય સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં પણ સોનીવાડાના આ વિસ્તારમાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે : સોનીવાડે દોય છે, નિરખાતાં ભવપાર. સં૮ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં સ્વર્ણકારનો પાડો વિસ્તારમાં ઊંચી પોળમાં ઉપર્યુક્ત બે જિનાલયોની નોંધ પ્રાપ્ત થાય છે ઃ ઉચ્ચઃ પોલે નમામિ ત્રિદશગણનતં સ્વર્ણકારસ્યપાડે, શ્રી વીરં શાંતિનાથં સ્તુતમવનિતલે નાકિનાથૈશ્વ વન્ધમ્ For Personal & Private Use Only ॥૨૨॥ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy