SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પાટણનાં જિનાલયો જિનાલયમાં સાત આરસપ્રતિમા અને સોળ ધાતુપ્રતિમા તથા એક રત્નપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આગલી શેરીમાં શાંતિનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા અને બાવીસ ધાતુપ્રતિમા તથા એક ફટિકપ્રતિમાનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થાપનાનો સમય સં. ૧૯૨૦ દર્શાવ્યો છે. સંભવ છે કે તે સમયે જીર્ણોદ્ધાર થયો હોય. વહીવટ શેઠ લહેરૂભાઈ હાલાભાઈ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી શૈલેષભાઈ બાબુલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી રસિકલાલ મણિલાલ શાહ અને શ્રી દિનેશભાઈ અંબાલાલ શાહ હસ્તક છે. આ જિનાલયમાં ત્રણ ઘરદેરાસરો પધરાવેલ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૬૪ના સમયનું છે. સં. ૧૬૪૮ પૂર્વેના સમયનું નક્કી કરવા માટે અન્ય આધારભૂત પુરાવાઓની જરૂર છે. પોળની શેરી, ફોફલિયાવાડો પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૮૭૫ આસપાસ) ફોફલિયાવાડા વિસ્તારમાં પોળની શેરી તરીકે ઓળખાતી પોળમાં પ્રવેશતાં, ડાબી બાજુએ શ્રી બાલુભાઈના ઘરના ત્રીજા મજલા પર શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. શેરીમાં આ એક જ ઘરદેરાસર છે. દીવાલે જડેલા કોતરણીવાળા લાકડાનાં કબાટમાં તમામ પ્રતિમાઓ બિરાજમાન છે. અહીં ત્રણ ધાતુપ્રતિમા અને ચાંદીની એક દેવીમૂર્તિ જેને આ કુટુંબ પોતાની કુળદેવી માને છે તે અને યંત્રો છે. મૂળનાયક તરીકે ૩”ની ઊંચાઈ ધરાવતી, શ્રી પાર્શ્વનાથની એકતીર્થી ધાતુપ્રતિમા બિરાજમાન છે. તેના પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : “સં. ૧૮૨૬ વૈશાખ વદિ ર શ્રી પાર્શ્વનાથ બિંબ .....” જમણીબાજુ શ્રી શાંતિનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા છે. તેના પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : “સંવત ૧૭૬૮ વૈશાખ સુદિ ૫ બુધવાર પત્તન વાસ્તવ્ય શ્રી પના ભાર્યા બાઈ લધામ કારાપિત શ્રી શાંતિનાથ પંચતીર્થી શ્રી કટુકમતી ગચ્છ પ્રતિષ્ઠિત ” ડાબી બાજુ શ્રી સુવિધિનાથની ધાતુપ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : સં. ૧૫૫ર માઘ વદ ૧૨ બુધવાર પ્રાગ્વાટ જ્ઞાતિય મા વેલા ભાર્યા કમી સુ. ૫૦ માણીકકેન ભાટ લખી સુત ભાઈ આભાજી .. પ્રમુખકુટુંબયતન સ્વશ્રેયાર્થે શ્રી સુવિધિનાથ કારિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy