SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પાટણનાં જિનાલયો પોળની શેરી, ફોફલિયાવાડો શાંતિનાથ (સં. ૧૬૬૪) ફોફલિયાવાડા વિસ્તારમાં પોળની શેરી કે આગલી શેરી તરીકે ઓળખાતી પોળમાં પ્રવેશતાં આપણી ડાબી બાજુએ શ્રી શાંતિનાથનું સામરણયુક્ત શિખરવાળું આરસનું બનેલું જિનાલય આવેલું છે. પ્રવેશ કરતાં ચોક આવે છે જેની ફરસ સુંદર ડિઝાઈનવાળી આરસની છે. ચોકને ફરતે કોટ છે જેની ઉપર દસ ફાનસ છે. ચાર પગથિયાં ચડતાં ત્રણ પ્રવેશદ્વાર આવે છે. અહીં ચાર સ્તંભ છે. તેની ઉપર ચાર નૃત્યાંગનાઓની રચના છે. મુખ્ય દ્વારની છેક ઉપર જમણી બાજુએ સરસ્વતીદેવી તથા ડાબી બાજુ લક્ષ્મીદેવીનાં શિલ્પો છે. તથા બીજી પણ બે પૂતળીઓનાં શિલ્પો છે. પ્રવેશદ્વારની ઉપરની દીવાલ પર લક્ષ્મીદેવીની આજુબાજુ જલાભિષેક કરતા હાથીઓ ઉપસાવેલા છે. અહીં લાલ તથા સોનેરી રંગથી રંગકામ થયેલું છે. પ્રવેશદ્વાર પાસે ડાબી બાજુ દિવાલ પર નીચે પ્રમાણે લેખ લખેલ છે : આજથી સવાસો વર્ષ પહેલાં એક અજૈન ભાઈના ઘરમાંથી પ્રાપ્ત થયેલા શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિમાજી પોળની શેરીના દેરાસરજીમાં મૂળનાયક રૂપે બિરાજમાન છે. તેનો ઉત્થાપન વિધિ સં. ૨૦૩૯ના વૈશાખ સુદિ ૧૧ને દિને કરેલ તા. ૨૨-૫-૮૩. તે ભગવંતોને પુનઃ પ્રતિષ્ઠિત વિ. સં. ૨૦૪૩ માગશર સુદ ૬ને શનિવારે તા. ૮-૧૨-૮૬ પરમ પૂજય આચાર્ય શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે થયેલ છે.” તથા જમણી બાજુ દીવાલ પર “શ્રી શાંતિનાથ ભગવાનનું આ દહેરાસર શ્રી પોળની શેરીના જૈન શ્વે. મૂપૂ. સભ્યોની માલિકીનું છે.” – મુજબનું લખાણ છે. મધ્યમ, પહોળા, ચોરસ રંગમંડપમાં આઠ સ્તંભો છે. રંગમંડપના ઘુમ્મટનું કાચકામ મોહક છે. બે વર્ષ પહેલાં જ આ કાચકામ કરાવવામાં આવેલ છે. રંગમંડપની જમણી દીવાલ પર સમેતશિખર તથા ડાબી બાજુ દીવાલ પર શત્રુંજયનો પટ છે. અહીં થર્મોકોલની શીટ પર કોતરણી કરી રંગ કરી આભલાં ચોટાડેલાં હોય તેવી નવીન રચના ધ્યાન ખેંચે છે. ગિરનાર તથા અષ્ટાપદના પટ પણ છે. ગભારા પાસેની દીવાલ પર વાજિંત્ર સાથે નાની પૂતળીઓનાં શિલ્પો છે. ડાબી બાજુના ગોખમાં ગઠ્યક્ષ અને જમણી બાજુના ગોખમાં નિર્વાણીદેવીની આરસમૂર્તિઓ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. લાકડાની રંગીન કોતરણીવાળા ગર્ભદ્વારની બારસાખ નીચે દ્વારપાળ અને ઉપર શિખર જેવી રચના છે. દ્વાર પર ચામર વીંઝતી પૂતળીઓની રચના છે. અહીં ૨૧” ઊંચાઈ ધરાવતી શાંતિનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. તેના પર “સં. ૧૬૬૪ વર્ષે પોષ વદી .......” – એ મુજબનું લખાણ વાંચી શકાય છે. અન્ય બિંબો કદમ્બગિરિથી લાવીને બિરાજમાન કરેલ છે એવું જાણવા મળ્યું છે. અત્રે કુલ છ આરસપ્રતિમા અને એકત્રીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy