SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૮૫ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૦૮માં જોગીવાડામાં શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયમાં મધ્યે ગભારામાં શામળા પાર્શ્વનાથની પરિકરયુક્ત પ્રતિમા બિરાજે છે. અહીં પાંચ આરસપ્રતિમા બિરાજમાન છે. ઉપરાંત અગાઉ જણાવ્યું તેમ રંગમંડપમાં ડાબી બાજુની દેવકુલિકામાં શાંતિનાથ મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાંચ આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન છે. તથા જમણી બાજુ આવેલી આદેશ્વર ભગવાનની દેવકુલિકામાં પાંચ આરસપ્રતિમા અને ત્રણ ધાતુપ્રતિમા બિરાજે છે. સં. ૧૭૨૯માં જોગીવાડામાં પાર્શ્વનાથના જિનાલયની સાથે આદેશ્વરનું જિનાલય વિદ્યમાન હતું. સંભવ છે કે તે આદેશ્વર ભગવાન દેવકુલિકામાં પધરાવવામાં આવ્યા હોય. સં. ૧૭૭૭માં જિનાલયના ભોંયરામાં શાંતિનાથ ભગવાન બિરાજમાન હતા. સંભવ છે કે તે શાંતિનાથ ભગવાન દેવકુલિકામાં પધરાવવામાં આવ્યા હોય. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન (ભાગ-૧)માં મુનિ શ્રી જગવલ્લભવિજય મ. સા. આ જિનાલય વિશેની નોંધમાં જણાવે છે કે : “જોગીવાડાના શામળા પાર્શ્વનાથ પ્રભુ એ જ ધીંગડમલ્લ પાર્શ્વનાથ છે. ૧૮મી સદીમાં કવિ ઉદયરત્નરચિત શ્રી શામળા પાર્શ્વનાથ સ્તવનમાં જોગીવાડાના શ્રી શામળા પાર્શ્વનાથને ધીંગડમલ્લ નામથી ઓળખાવે છે. જોગીવાડે જાગતો ને માતો ધીંગડમલ્લ. શામલો સોહામણો કંઈ જીત્યા આઠે મલ્લ. પ્યારા પાર્થજી હો લાલ, દીનદયાલ મુજને નયને નિહાળ. જો કે આ અંગે વધુ પુરાવાઓ તથા વિશેષ સંશોધનની જરૂર છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય તેમ છે. સં. ૧૬૪૮ પૂર્વેનું કે સં. ૧૫૭૬ પૂર્વેનું નક્કી કરવા માટે વિશેષ સંશોધનની અને વધુ પુરાવાઓની જરૂર છે. ફોફલિયાવાડો પાટણમાં ફોફલિયાવાડી વિસ્તાર ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત છે. ફોફલિયા નામનું એક ગોત્ર છે. સંભવ છે કે તે ગોત્રના કુટુંબીજનો પાટણ આવી વસ્યા હોય અને તેમના પરથી આ વિસ્તારનું નામ પડ્યું હોય. જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ-૨)માં ફોફલિયાવાડા વિસ્તાર વિશે માહિતી મળે છે તે અહીં આપીશું તો અસ્થાને નહીં ગણાય. આ પુસ્તકના પૃ. ૩૯૭ પર શ્રીમાલવંશના નીના શેઠની માહિતી આપતાં જણાવ્યું છે : “શ્રીમાલવંશના શેઠ નીનાના વંશજ ૨૪માં સારિંગ પોતાની પત્ની નારિંગદેવી સાથે સં. ૧૨૨૫માં પોતાના સાસરે પાટણમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy