SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પાટણનાં જિનાલયો તથા મુનિસુવ્રતસ્વામીનું જિનાલય – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત તે સમયે આ વિસ્તારની સુતરીયા શેરીમાં શા. ઉત્તમચંદ માનચંદ તથા શાડાહ્યાચંદ મંગલદાસનાં ઘરદેરાસરો અને મોટી શેરીમાં શા. ખૂબચંદ ગફુરચંદ તથા શા. લલુભાઈ ઉજમદાસનાં ઘરદેરાસરો – એમ કુલ ચાર ઘરદેરાસરો વિદ્યમાન હતાં. સં. ૨૦૦૮માં લખીઆરવાડામાં સીમંધરસ્વામી તથા મુનિસુવ્રતસ્વામી – મનમોહન પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. આજે લખીયારવાડામાં સીમંધરસ્વામીનું જિનાલય તથા મુનિસુવ્રતસ્વામીનું (ભોંયરામાં મનમોહન પાર્શ્વનાથ) જિનાલય વિદ્યમાન છે. ઉપરાંત બે ઘરદેરાસરો – સુવિધિનાથ (બાપુલાલ લલ્લચંદ મોતીવાલાનું ઘરદેરાસર) અને આદેશ્વર (ચુનીલાલ ઉત્તમચંદ વોરાનું ઘરદેરાસર) – વિદ્યમાન હતાં. લખીયારવાડો, રાજકાવાડો સીમંધરસ્વામી (સં. ૧૬૫૪ આસપાસ) , રાજકાવાડો રાજકાવાડા વિસ્તારમાં આવેલ લખીયારવાડામાં સીધા સીધા જાવ એટલે આપણી જમણી બાજુ ખૂણે સામરણયુક્ત શિખરબંધી આરસનું બનેલું શ્રી સીમંધરસ્વામીનું જિનાલય આવેલું છે. આ જિનાલયનો સં. ૨૦૧૭માં જીર્ણોદ્ધાર થયેલો છે. જિનાલયની પુન:પ્રતિષ્ઠા સાગરગચ્છના આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિજીએ કરાવેલ છે. પુનઃપ્રતિષ્ઠાનો લાભ ચુનીલાલ ઉત્તમચંદ પરિવારે લીધેલ છે. - જિનાલયના પ્રવેશદ્વારની ઉપરની દીવાલે બાહુબલિ અને બ્રાહ્મી-સુંદરીનાં શિલ્પો તથા બીજી બાજુ પદ્માવતીદેવી, આજુબાજુ ચામર વીંઝતાં શિલ્પો અને સિંહાકૃતિ દર્શનાર્થીઓનું ધ્યાન ખેચે છે. જાળીવાળા પ્રવેશદ્વાર પાસેની દીવાલો પર બે બાજુ હાથીની અંબાડી પર બેસીને જતા શ્રેષ્ઠીનાં શિલ્પો છે. પ્રવેશચોકીના સ્તંભો પર ઝીણી કોતરણી તથા વાજિંત્ર વગાડતાં શિલ્પો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૭) રંગમંડપ મધ્યમ કદનો, સુંદર અને સ્વચ્છ છે. રંગમંડપમાં ગિરનાર તથા સિદ્ધગિરિનો પથ્થર પર ઉપસાવી ભીંત પર જડેલ પટ છે. અહીંના વિશાળ ઘુમ્મટ પરની કોતરણી અને રંગસંયોજન ધ્યાનાકર્ષક છે. ઘુમ્મટમાં શસ્ત્રો ધારણ કરેલાં નારીનાં શિલ્પો, તેની નીચે કોતરણીયુક્ત નારીનાં શિલ્પો, તેની નીચે તીર્થકરોની નાની મૂર્તિઓ, હંસપંક્તિ તથા તેની નીચે મહાવીરસ્વામીના સંસારી જીવનના પ્રસંગો, અષ્ટમંગલની રચના તેની નીચે મગરમુખી કમાનો પાસે નવગ્રહોની રચના સુંદર છે. અહીં રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે ડાબી બાજુના ગોખમાં ચક્રેશ્વરીદેવી તથા જમણી બાજુ ગોખમાં ગૌમુખયક્ષની આરસમૂર્તિઓ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy