SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પાટણનાં જિનાલયો આજે વિદ્યમાન જિનાલયો, જે સ્વતંત્ર વિસ્તારોમાં આવેલાં છે, તે જિનાલયોની વિગતવાર નોંધ તે તે વિસ્તારમાં કરવામાં આવેલ છે. જ્યારે આજે વિદ્યમાન નથી પરંતુ અગાઉ વિદ્યમાન હતાં તેવાં રાજકાવાડાની અંતર્ગત વિસ્તારોનાં જિનાલયો વિશે હવે વિગતવાર નોંધ જોઈએ : સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં રાતકાવાડામાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : રાતકાવાડઈ રતનનિધિ, પાસ જિસેસર દિઢ ત,. સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં માં વિદ્યાધરના પાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : સતરભેદનું વધિ સહી રાઇયાસણી માહિ કહી આણ વહી પૂજા કીધઈ ફલ ઘણા. એ ૩૪ પાડઈ મહું વિદ્યાધર શાંતિનાથ સોહકર સખકર પ્રતિમા ત્રણ તિહાં ખરીએ કસૂબીઆપાડઈ કહી શીતલ જિન ભવને એ, સામહી નવ પ્રતિમા સેવા કરી એ ૩૫ ઉપરાંત રાજકાવાડા અંતર્ગત કોવારીપાડાનાં જિનાલયોનો ઉલ્લેખ થયો છે : ૧. પાર્શ્વનાથ, ૨. નાકરમોદીનું ઘરદેરાસર, ૩. મંત્રી જેરાજનું વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર અને ૪. વીરશાનું પાર્શ્વનાથનું ઘરદેરાસર. કોવારી પાડઇ હરષીઈ પાસ જિસેસર નિરપીઈ પરખીઇ એકાદશ દિન સુંદર એ ઘરિ નાકર મોદી તણાં છ પ્રતિમા હરષિ ઘણિ ગુણ ઘણાં જેહના દેવી સુરવરુ એ ૩૮ સહી ઘરિ મંત્રી જેરાજ એ વાસપુજ્ય તિહાં છાજઇ એ વાજઇ એ મલ તાલ સઘૂઘરીએ જિન પ્રતિમા તિહાં આર એ પૂજિત પામઈ પાર એ સાર એ પૂજ કરુ ભાવિ કરી એ ૩૯ વીરાષા એષિ ઘર સાર એ વામાદેવિ મલ્હાર એ હાર એ ચંપકમઈ સોવ્યન તણા એ બિંબ આઠ તિહા પૂજીજઇ સતર ભેદ વિધિસૂ કીજઇ એ જન્મ સફલ માનવ તણુ એ ૪૦ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં રાજકાવાડા વિસ્તાર અંતર્ગત દોશી વછામૂલજીનો પાડો દર્શાવ્યો છે અને તેમાં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : દોસી વછા મૂલજી તર્ણ રે, પાડા માંહે જિનરાજ, સંભવનાથ નિહાલતા રે, સિદ્ધી વંછીત કીજો રે. ૧ ઉપરાંત ખીમજી ફડિયાના પાડામાં ચારૂપપાર્શ્વનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે : ષીમજી ફડીયાનઈ અછે રે, પાડા માંહે જિનગેહ, ચારુપાસ જુહારીયે, દરસન દુર્લભ જેહો રે. ૩ ચૈત્ર કસુંબીયાપાડો, સંઘવીની પોળ, અબજીમહેતાનો પાડો, બળીયાપાડો, ચોખાવટીયાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy