SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો રવિવાસરે શ્રી નાનાલાલ ડી. પટ્ટણીએ તેમના માતુશ્રી જીણીબહેનના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભસ્વામીના તથા સ્વશ્રેયાર્થે મહાવીરસ્વામીનાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલ છે. શ્રી શીતલનાથસ્વામીના જિનબિંબની પ્રતિષ્ઠા નિર્મલાબહેન જયંતિલાલ શાહે તથા શાંતિનાથસ્વામીના જિનબિંબની પ્રતિષ્ઠા સ્વ. શ્રી ગીરધરલાલ હેમચંદ્રના સ્વશ્રેયાર્થે તેમના ધર્મપત્ની હીરાબેન ગીરધરલાલ શાહે કરાવેલ છે. શુભં ભવતુ શ્રી સકલ સંઘસ્ય |’ ગભારામાં બિરાજમાન મૂળનાયક શ્રી આદેશ્વરની ૯' ઊંચાઈ ધરાવતી પંચતીર્થી ધાતુપ્રતિમા છે. તેના પર ‘સં ૧૫૮૭ વૈશાખ વિદ ૭ સોમવાર .. આદિનાથ..' – એ મુજબનું લખાણ વાંચી શકાય છે. મૂળનાયક પ્રતિમા તથા પરિકર બન્ને જુદા છે. ગભારામાં કુલ આઠ ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. આ ચૌમુખજી પર શિખરની રચના છે. ચૌમુખજી અને શિખર બન્નેના ભાગ જુદા છે. તેના ૫૨ ‘સં ૧૫૦૬ વૈ સુ૰ ૫ ગુરૌ ખરતરગચ્છ શ્રી જિનસાગરસૂરિ' વાંચી શકાય છે. ઉપરાંત ગભારામાં સં ૨૦૧૪માં શેઠ નથમલજી આણંદજીએ ગોત્રજ માટે ષધરાવેલ ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. મૂળનાયક પ૨ શ્રાવણ વદ પાંચમે ધજા ચડે છે. ૪. અજિતનાથ : ૧૩૩ આદેશ્વરના ગભારાની બાજુમાં અજિતનાથનો ગભારો આવેલો છે. રંગમંડપમાં પં. શ્રી ધર્મવિજયજી મ. સાનો મોટો ફોટો દીવાલે ટીંગાડેલો છે. અહીં પણ દીવાલે થર્મોકોલના કટિંગવાળી મોર તથા કેરી આકારની સુંદર રચના છે. રંગમંડપ સાદો છે. ગભારામાં મૂળનાયક અજિતનાથની પ્રતિમા ૨૧' ઊંચાઈ ધરાવે છે. કુલ ત્રણ આરસપ્રતિમા અને તેત્રીસ ધાતુપ્રતિમા છે. શ્રાવણ વદ પાંચમના દિવસે ધજા ચડે છે. ઐતિહાસિક સંદર્ભ શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં આ જિનાલય પાર્શ્વનાથ તરીકે ઓળખાતું દર્શાવ્યું છે. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ ખેતલવસહીમાં પાર્શ્વનાથનું જિનાલય હોવાની નોંધ આવે છે. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં શામળા પાર્શ્વનાથનું જિનાલય હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સં ૧૭૭૭માં લાધાશાહે સ્વરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં ખેતલો પાર્શ્વનાથ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખેતલવસહી વિસ્તારમાં હોવાને કારણે કેટલાક આને ખેતલો પાર્શ્વનાથ નામે ઓળખતા હોવાનો સંભવ શકય છે. સં. ૧૮૨૧માં ઉપાં. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ખેતલવસહીમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં શામળા પાર્શ્વનાથ, આદેશ્વર તથા અજિતનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવેલું છે. ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy