SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૩૧ શકે તેવી કલ્પના સહેજે પણ થાય ! જ્યારે આ અગાશીની બરાબર સામેની બાજુએ ભોંયરાની ઉપરના માળવાળાં જિનાલયો આવે છે. લોખંડની જાળીયુક્ત દરવાજો પસાર કરીએ એટલે જિનાલયમાં જવાનું દ્વાર આવે છે. જિનાલયનું રંગકામ જોતાં જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ખ્યાલ આવે છે. જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૬માં થયેલ છે. ૧. શામળા પાર્શ્વનાથ : જિનાલયમાં પ્રવેશતાં સામે ભોંયરું નજરે પડે છે. પ્રવેશદ્વારની બારસાખને આવરી લેતી સુંદર કોતરણીવાળી આરસની મગરમુખી રંગીન કમાનો, દેવશિલ્પો, ઈન્દ્રો તથા પાર્શ્વનાથ ભગવાનની શિલ્પાકૃતિ આકર્ષક છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૦) પગથિયાં ઊતરી ભોંયરાના રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપ મોટો છે. આરસની ફરસ છે. પ્લાસ્ટર ઑફ પેરીસની રંગીન છત છે. છતને ફરતે દીવાલો પર થર્મોકોલના સુંદર કટિંગ્સમાં રંગીન આભલા ચોંટાડેલાં છે. રંગમંડપમાં એક ગોખમાં પાર્શ્વયક્ષની અને તેની સામેના ગોખમાં પદ્માવતીદેવીની મનોહર આરસમૂર્તિઓ છે. અન્ય એક ગોખમાં એક આરસપ્રતિમા છે. રંગમંડપમાં દીવાલ પર ભગવાન મહાવીર અને ચંડકૌશિક નાગના ઉપસર્ગનો ફોટો છે. ત્રણ ગર્ભદ્વારયુક્ત આ ગભારામાં શ્રી શામળા પાર્શ્વનાથની ૩૭” ઊંચાઈવાળી પરિકરયુક્ત શ્યામલ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. જાણે પ્રભુજી અમીભરી નજરે સ્મિત સાથે આપણી તરફ જોઈ મલકાતાં ન હોય ! સં. ૨૦૧૬માં જ મૂળનાયક પ્રતિમા તથા આજુબાજુના બીજા બે કાઉસ્સગ્નિયા પ્રતિમાઓને લેપ થયેલો હોવાથી પ્રતિમા હાલમાં જ બન્યા હોય તેવા નવીન ભાસે છે. અહીં કુલ આઠ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગિયા છે. એક ધાતુપ્રતિમા છે. જમણે ગભારે નેમિનાથ તથા ડાબે ગભારે આદેશ્વરની સંપરિકરયુક્ત પ્રતિમાઓ બિરાજે છે. શ્રી શામળા પાર્શ્વનાથની વર્ષગાંઠ શ્રાવણ સુદ નોમના દિવસે આવે છે. ૨. આદેશ્વર : અગાઉ જણાવ્યા મુજબ જિનાલયમાં પ્રવેશતાં, ભોંયરા પાસે ડાબી બાજુનાં પગથિયાં પાસે રંગમંડપ સાથેનો શ્રી આદેશ્વરનો ગભારો છે. રંગમંડપ નાનો છે. રંગમંડપના ઘુમ્મટમાં આછા-ઘેરા રંગથી રંગકામ કરેલું છે. અહીં પણ ભીંત પર થર્મોકોલના દીપક તથા અષ્ટમંગલ વગેરે લગાડેલ છે. - ગભારામાં શ્રી આદેશ્વર ભગવાનની ૩” ઊંચાઈ ધરાવતી પંચતીર્થી ધાતુપ્રતિમા બિરાજે છે. તેના પર નીચે મુજબનો મૂર્તિલેખ છે : સંવત ૧૫૫૮ વર્ષે મહા સુદ ૬ શુક્રવાસરે પરી. શિવા પરી. રતના પરી. વિદ્યાધર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy