SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો “આ ઘરદેરાસરના નીચેના ભાગમાં એક કૂવો હતો અને તેમાં એક યક્ષનો વાસ હતો. દેરાસરમાં આવતી પરિણીત સ્ત્રીઓને તે યક્ષ હેરાન કરતો તેથી સ્ત્રીઓ અહીં આવી શકતી ન હતી. ત્રીસેક વર્ષ પૂર્વે જ પૂ શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી પાસે ધાર્મિક વિધિ કરાવ્યા બાદ હવે આમ થતું નથી.” ૧૨૮ ઐતિહાસિક સંદર્ભ શ્રી મહાદેવા પાર્શ્વનાથનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી. પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે. વિમલનાથના આ ઘરદેરાસરનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૯૬૩માં મળે છે. તે સમયે આ ઘરદેરાસર માણેકચંદ જીવણદાસ પરિવારનું હતું. ત્યારે ઘરદેરાસરમાં પાંચ ધાતુપ્રતિમા હતી. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસર સંઘવી ગીરધરલાલ ડાહ્યાભાઈ પરિવારનું હતું. ઘરદેરાસરમાં પાંચ ધાતુપ્રતિમા હતી. આજે પણ અહીં કુલ પાંચ ધાતુપ્રતિમા છે. આજે આ ઘરદેરાસર જેશીંગભાઈ ડાહ્યાભાઈ સંઘવી તથા ગીરધરલાલ ડાહ્યાભાઈ સંઘવી પરિવારનું ગણાય છે. ટૂંકમાં સંઘવી પરિવારનું આ ઘરદેરાસર સં. ૧૯૬૩ પૂર્વેનું છે. મહાદેવાની શેરી, ખેતરવસી મહાદેવા પાર્શ્વનાથ (સં ૧૭૭૭ પૂર્વે) ખેતરવસી વિસ્તારમાં મહાદેવની શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયની સ્થિતિ મધ્યમ કહી શકાય. જિનાલયમાં પ્રવેશતાં પ્રથમ ચોક આવે છે. જમણી બાજુએથી જિનાલયમાં જવાય. રંગમંડપની ફરસ સુંદર ગાલીચા જેવા જણાતા માર્બલની છે. રંગમંડપના થાંભલા પથ્થરના છે અને રંગેલા છે. રંગમંડપની દીવાલો ૫૨ શત્રુંજય તથા ગિરનારના ઉપસાવેલ પટ છે જેનું ટીપકી ચોંટાડેલું રંગકામ સુંદર છે. અહીં મોટા અરીસાઓ લગાડેલા છે. ગભારાને ત્રણ ગર્ભદ્વાર છે જેમાં મુખ્ય (વચ્ચે) ગર્ભદ્વાર પર સંવત ૧૯૯૩ શા મોહનલાલ ઉત્તમચંદે બનાવરાવ્યું હોવાનું લખાણ છે. આજુબાજુનાં બન્ને દ્વાર પર સં. ૧૯૯૫માં બનાવરાવ્યું હોવાનું લખાણ છે. મૂળનાયક શ્રી મહાદેવા પાર્શ્વનાથને પરિકર કે લેખ નથી. ૨૧” ઊંચાઈ ધરાવતી આ પ્રતિમા કલાત્મક છત્રી નીચે બિરાજે છે. ડાબે ગભારે શ્યામ રંગની શ્રી નેમિનાથની તથા જમણે ગભારે શ્રી વાસુપૂજ્યની પ્રતિમા બિરાજે છે. ગભારામાં આરસપ્રતિમા પાંચ છે. ઉપરાંત આરસની એક દેવીની તથા ઓઘાવાળી અન્ય એક મૂર્તિ છે. અહીં ઓગણત્રીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy