SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તથા સં ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નેમિનાથના જિનાલય ઉપરાંત મલ્લિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૬૧૩માં નેમિનાથના તથા મલ્લિનાથના જિનાલય ઉપરાંત આદેશ્વર(વ૨સા શેઠના ઘરે)ના જિનાલયનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૭૨૯માં પં હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તરશેરીયું વિસ્તારમાં નેમિનાથ, મલ્લિનાથ, આદેશ્વર, નવપલ્લવ પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે. સંભવ છે કે સં ૧૬૧૩માં વિદ્યમાન મલ્લિનાથનું જિનાલય તથા આદેશ્વરનું જિનાલય પ્રસ્તુત સંયુક્ત જિનાલયમાં પધરાવવામાં આવ્યાં હોય. સં. ૧૭૭૭માં નેમનાથ, આદેશ્વર, મલ્લિનાથનું સંયુક્ત જિનાલય વિદ્યમાન હતું. એટલે કે ત્યારે નવપલ્લવ પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો નથી. આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૭૭ પછી પ્રાપ્ત થતો નથી. આજે નેમિનાથની ડાબી બાજુના ગભારે આદેશ્વર બિરાજમાન છે. સં. ૧૯૫૯માં નેમિનાથ, મલ્લિનાથ, ધર્મનાથનું સંયુક્ત જિનાલય દર્શાવવામાં આવ્યું છે. જ્યારે સં ૧૯૮૨માં તથા સં ૨૦૦૮માં નેમિનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ આવે છે. એટલે કે સં ૧૭૨૯માં સંયુક્ત જિનાલયમાં નવપલ્લવ પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો. ત્યારબાદ સં. ૧૭૭૭માં તથા સં. ૧૯૫૯માં ધર્મનાથનો ઉલ્લેખ થયેલો છે. ધર્મનાથનો ઉલ્લેખ સં૰ ૧૯૫૯માં જ થયેલો છે. તે અગાઉ કે ત્યારબાદ થયેલો નથી. સં. ૧૯૬૭માં, સં. ૧૯૮૨માં તથા સં૰ ૨૦૦૮માં પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે. સં ૨૦૧૦માં નેમિનાથના જિનાલયની વિશેષ નોંધમાં પાર્શ્વનાથની એક પ્રાચીન મૂર્તિનો ઉલ્લેખ પણ થયેલો છે. આજે પણ ગભારામાં મૂળનાયકની ડાબી બાજુ સંકટચૂર પાર્શ્વનાથની સુંદર, સપરિકર, શ્યામ રંગની પ્રતિમા બિરાજે છે. ઉપરાંત રંગમંડપમાં ડાબી બાજુની દેવકુલિકામાં પાર્શ્વનાથ બિરાજમાન છે. ૧૦૪ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સાળીવાડો, નેમીશ્વરની શેરીમાં નેમિનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. ત્યારે એકત્રીસ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવેલી છે. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં શાળીવાડો, તરશેરિયુંમાં નેમિનાથનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. ત્યારે તેત્રીસ આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૫૦૦ લગભગ દર્શાવ્યો હતો અને વહીવટ શાળવી હાલાભાઈ પીતાંબરદાસ હસ્તક હતો. આજે જિનાલયમાં તેત્રીસ આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ સાલવીવાડામાં રહેતા શ્રી ચંપકલાલ અંબાલાલ સાલવી અને શ્રી કેતનભાઈ નવીનચંદ્ર શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy