SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો મુનિ શ્રી જગવલ્લભવિજયજી મ. સા. રચિત સં. ૨૦૪૩માં પ્રસિદ્ધ થયેલ “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન' ગ્રંથના પૃ. ૧૭૫ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : સં ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે રચેલી ‘૩૬૫ શ્રી પાર્શ્વનાથ નામમાળા'માં શ્રી ચંપા પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ થયેલો છે.” આજે આ જિનાલયનો વહીવટ પણ સાલવીવાડામાં નારણજીના પાડામાં રહેતા શ્રી નટવરલાલ ચુનીલાલ સાલવી, શ્રી મહેન્દ્રભાઈ ગોપાલદાસ સાલવી તથા શ્રી પ્રતાપચંદ ભાઈચંદ સાલવી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૫૫માં ચંપા પાર્શ્વનાથ તરીકે, સં. ૧૭૨૯માં સપ્તફણા પાર્શ્વનાથ તરીકે, સં. ૧૭૭૭માં પાર્શ્વનાથ તરીકે, સં. ૧૯૫૯ થી તે અદ્યાપિપર્યત ચંપા પાર્શ્વનાથ તરીકે સાતત્યપૂર્વક થયેલો છે. એટલે આ જિનાલય સં. ૧૬૫૫ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય છે. ઉપરાંત ગોલવાડમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૫૭૬, સં. ૧૬૧૭, સં. ૧૬૪૮માં પણ મળે છે. ચંપા પાર્શ્વનાથની આ પ્રતિમા પ્રાચીન દીસે છે. આથી સં. ૧૬૫૫ પૂર્વેથી પણ વધુ પ્રાચીન સમય નક્કી કરવા માટે વિશેષ પુરાવાઓની જરૂર રહે છે. નારણજીનો પાડો, સાલવીવાડો આદેશ્વર (સં. ૧૭૭૭ પૂર્વે) સાલવીવાડ વિસ્તારમાં નારણજીના પાડાની અંદર છેક છેવાડે પથ્થરનું અને આરસનું બનેલું શ્રી આદેશ્વર ભગવાનનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. . અહીં લોખંડની જાળીવાળા મોટા દરવાજામાંથી પ્રવેશતાં જ એક મોટો ચોક આવે છે. ચોક વચ્ચે ભગવાનની પૂજામાં ખપ લાગે તેવાં થોડાક છોડ રોપેલા છે. ચોક વટાવી, જિનાલય તરફ જાવ તો ચાર પગથિયાં ચડતાં પ્રવેશચોકીના કોતરણીયુક્ત સ્થંભ ધ્યાન ખેંચે છે. જિનાલયને કાષ્ઠનાં ત્રણ પ્રવેશદ્વાર છે જેમાંથી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. પ્રવેશદ્વારે સિંહ અને હાથીનાં શિલ્પો નજરે પડે છે. આરસના સાદા રંગમંડપમાં પિત્તળે મઢેલ સ્નાત્રાદિનાં સાધનો – ત્રિગડું, ભંડાર, પાટ વગેરે છે. ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં ૨૫” ઊંચાઈ ધરાવતી મૂળનાયક આદેશ્વરની મનોહર પ્રતિમા કલાત્મક ચાંદીની છત્રીમાં બિરાજમાન છે. મૂર્તિલેખ ઘસાઈ ગયો હોવાથી અવાચ્ય છે. ડાબે ગભારે શ્રી પદ્મપ્રભુ બિરાજમાન છે અને તેના પરના લેખમાં “સં. ૧૫૮૬... અંચલગચ્છ' વંચાય છે જયારે જમણે ગભારે શ્રી અજિતનાથ બિરાજમાન છે. તેના પર માત્ર સં. ૧૫૮૬ જ વંચાય છે. ગભારામાં કુલ બાર આરસપ્રતિમા છે જેમાં એક કાઉસ્સગ્ગિયા, એક ચોવીસી અને એક નાના ચૌમુખજી છે. કુલ ચાર ધાતુપ્રતિમા છે તથા ત્રણ પગલાંની જોડ છે. આ પાદુકા પરના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy