SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસર છાપરાબંધી ઘર દેરાસરના સ્વરૂપનું સાદા બે માળના મકાનનું છે. દેરાસરમાં એક આરસની ગુરુમૂર્તિ છે. આ ગુરુમૂર્તિ દાદા જિનદત્તસૂરિની હોવાનો સંભવ છે. રાજનગરનાં જિનાલયો “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસર શેઠ મોતીશા કડિયાએ બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. પરંતુ, સં. ૧૮૨૧માં તથા તે અગાઉ મોતીશાના પિતા શ્રી મલુકચંદ કડિયાએ બંધાવ્યું હોવાનો વધુ સંભવ છે. કારણ કે શેઠ મોતીશાના અન્ય ગ્રંથોમાં મળતા ઉલ્લેખો પ્રમાણે સં. ૧૮૨૧માં તેઓ ખૂબ જ નાની ઉંમરના હોવા જોઈએ. ઉપરાંત, મગનલાલ વખતચંદે લખેલા અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથમાં આ પોળનું નામ મલુકશાહ કડિયાની પોળ તરીકે નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ તેમના પુત્ર મોતીલાલ કડિયાએ આ પોળમાં એક ઉપાશ્રય બંધાવ્યો હતો. આજે તે ઉપાશ્રય ‘બહેનોના ઉપાશ્રય' તરીકે ઉપયોગમાં લેવાય છે. આ મોતીલાલ મલુકચંદ કડિયાએ પાલીતાણામાં એક ધર્મશાળા બંધાવી હતી. આજે પણ તે ધર્મશાળા મોતી કડિયાની ધર્મશાળાના નામથી ઓળખાય છે અને તેનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે.. નગરશેઠ હેમાભાઈના સમયમાં પાલીતાણાના ઠાકોર સાથે શેત્રુંજયનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. ત્યારે મોતીલાલ કડિયા આણંદજી કલ્યાણજી પેઢીના અધિકૃત વહીવટદાર તરીકે કે પ્રતિનિધિ તરીકે પાલીતાણામાં નિવાસ કરવા ગયા હતા. પાલીતાણાના ઠાકોરે ધાક-ધમકી આપીને મોતીલાલ કડિયાને પાલીતાણા છોડવાની ફરજ પાડી હતી. પં. શ્રી વીરવિજયજીએ શેત્રુંજયની નવ્વાણું યાત્રા કરી હતી ત્યારે પાલીતાણામાં મોતીચંદ મલુકચંદનો વહીવટ હતો. તે મુજબનો ઉલ્લેખ શ્રી વીરવિજયજીકૃત નવ્વાણું પ્રકારી પૂજાના અંત ભાગમાં - અથ કળશ-માં નીચે મુજબની પંક્તિઓ આવે છે. “યાત્રા નવાણું ઇહાં અમે કીધી, રંગ તરંગ ભરાયો ॥ તીરથગુણ મુક્તાફળ માળા, સંઘને કંઠે ઠવાયો રે ॥ વિ ॥૨॥ શેઠ હેમાભાઈ હુકમ લઈને પાલીતાણા શિર ઠાયો II મોતીચંદ મલુકચંદ રાજ્યે, સંઘ સકળ હરખાયો રે ॥ વિ ॥૩॥ આજે મોતીલાલ કડિયાની ધર્મશાળાનું મકાન પાલીતાણાનાં મુખ્ય બજારમાં મોટી પાઠશાળા તરીકે ઓળખાય છે, જેનો વહીવટ ત્યાંના સ્થાનિક જૈનોના મંડળ તરફથી થાય છે. આ મોતીલાલ મલુકચંદ કડિયાનું કુટુંબ ખરતરગચ્છના તે સમયના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિના આશીર્વાદથી રાજસ્થાનથી અમદાવાદમાં આવીને વસ્યું હતું. વાસુપૂજ્યનું આ દેરાસર લાકડાનું છે, જેમાં સુંદર, કલાત્મક રંગોથી ચિત્રાંકન થયેલું છે. આજથી આશરે ૫૦ વર્ષ પહેલાં આ રંગકામ નવેસરથી ક૨વામાં આવ્યું હતું. આ ગ્રંથના લેખક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy