SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ રાજનગરનાં જિનાલયો ૩. વાસુપૂજ્ય ૪. શાશ્વતા જિનાલય ૫. મુલવા પાર્શ્વનાથજી ૬. ધર્મનાથજી. સં. ૧૯૬૨માં રચાયેલી લલિત સાગરની ચૈત્ય પરિપાટીમાં પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે. ૧. શીતલનાથ ૨. ખેતસી શાહનું દહેરું ૩. આદિનાથ. “પાંજરા પોલિ એ શીતલ પાંચસઈ એકસઠ વાંદુ ભુંઅરઈ પ્રતિમા નવ વલી ચંદ સૂર લગઈ નાદુ ! ખેતસી સાહનઈ દેહરઈ આદીશ્વર પનર બિંબ વિશાળજી એક બિંબ વિદ્રુમમઈ વારૂ પાટક ટીંબલઈ સારજી શાંતિનાથ મૂલનાયક પ્રણમું ઉગણપચાસ જિન્નજી.” સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે. પરંતુ તેની આસપાસ આવેલી તે સમયે ઢીગલા પોળના નામથી પ્રચલિત પોળમાં શાંતિનાથના એક દેરાસરનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત, તેની આસપાસમાં આવેલી તે સમયે પ્રચલિત તિલકસાની પોળમાં એક નવીન દેરાસરનો ઉલ્લેખ થયો છે. તથા વર્ધમાનસાના મંદિરનો ઉલ્લેખ થયેલો છે, જેમાં શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખો નીચે મુજબની પંક્તિઓમાં જોવા મળે છે. “નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર ઢીગલા પોલે શાંત્યજી દેહરું એક ઉદાર // પાંજરા પોળમાં પેસતાં દેહરાં દીઠાં તિન તિલસાની પોલમાં દેવલ એક પ્રવીન વર્ધમાન સાને મંદિરે શીતલ સહજાનંદ દેવસી સાની પોળમાં ચઉં ચૈત્ય અભંગ !” સં. ૧૮૨૧માં મુલવાની ખડકીનો ઉલ્લેખ થયો નથી કે મુલવા પાર્શ્વનાથના દેરાસરના નામનો ઉલ્લેખ થયો નથી. ત્યારબાદ સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત, મુલેવાની ખડકીમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયો છે. જે નીચે મુજબની પંક્તિઓમાં થયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy