SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ રાજનગરનાં જિનાલયો શામળાની પોળ-વચલો ખાંચો શ્રેયાંસનાથ (સં. ૧૯૬ર પહેલા) શ્રેયાંસનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬રમાં થયો છે. પરંતુ, તે શાંતિનાથના દેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. આ દેરાસર કાચનું છે. ભીંત ઉપર તેમજ છત ઉપર ખૂબ જ સુંદર ચિત્રકામ છે. આ દેરાસરમાં સં. ૧૬૬૨નો એક લેખ મળે છે. જેમાં પ્રતિષ્ઠા કરાવનાર વીશા ઓશવાલ શાહ શાંતિદાસનાં પત્ની હાંસબાઈ તથા ખેમીબેનના નામનો ઉલ્લેખ મળે છે. જો કે આ લેખ જૂના લેખોને આધારે નવેસરથી ગુજરાતી ભાષામાં લખાયેલો છે, જે નીચે મુજબ છે. સંવત ૧૬૬રના ફાગણ સુદ ત્રીજને શુક્રવારના રોજ વિશા ઓસવાલ શાહ શાંતિદાસનાં પત્ની હાસબાઈ તથા અંબાલાલભાઈનાં પત્ની ખેમાબહેનના કુટુંબ તરફથી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિમા સંવત ૧૬૬રના જેઠ વદી ૯ ને ગુરુવારે તેમનાં જ કુટુંબીઓએ પધરાવેલ છે. મૂળનાયકની ડાબી તથા જમણી બાજુએ એકસરખી ઊંચાઈવાળી પ્રતિમાઓ છે. પ્રતિમાજીઓનું તેજ અલૌકિક છે. સં. ૧૯૧૨માં રત્નવિજયની તીર્થયાત્રાના વર્ણનમાં આ દેરાસર માટે નીચે મુજબનો ઉલ્લેખ મળે છે. “ચામાં ચેડ્યાની પોલ પ્રધાન નાથ સંભવ ચંદ્ર સમાન પોલિ નામે સાવલા પાસ વીર શાંતિ નમો ઉલ્લાસ ||” એટલે કે સં૧૯૧૨ પહેલાં આ દેરાસરનું નામ શ્રેયાંસનાથને બદલે શાંતિનાથ થઈ ગયું છે. આ નામ બદલાવાનું કારણ સ્પષ્ટપણે જાણી શકાતું નથી. કોઈ શરતચૂકથી આ નામ બદલાયું છે કે નવેસરથી શાંતિનાથ ભગવાનની આ દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા થઈ છે, તે અંગે વિશેષ સંશોધન કરવાની જરૂર છે. શામળાની પોળ મહાવીર સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) શામળાની પોળમાં આવેલું મહાવીર સ્વામીનું દેરાસર ઘુમ્મટબંધી છે. મહાવીર સ્વામી ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા ૧૫ ઇંચ ઊંચાઈની છે. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં શામળાની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિમાં પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy