SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ રાજનગરના કેટલાક પ્રાચીન ઉપાશ્રયો રાજનગરમાં જૈન દેરાસરોના ઉલ્લેખો સં ૧૫૦૮ પછી વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રાજનગરમાં આચાર્ય ભગવંતોની નિશ્રામાં ઘણા વિવિધ ધાર્મિક ઉત્સવો ઊજવાયા. શહેર બહાર પરાના વિસ્તારમાં આચાર્ય ભગવંતોએ સ્થિરતા કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શહેર બહારનાં એ પરાંઓમાં વિક્રમ સંવતના ૧૬મા સૈકાના પ્રારંભકાળમાં ઉપાશ્રયો બંધાયા હશે. પરંતુ આજે શહેર બહારના પરામાં એવો કોઈ ઉપાશ્રય વિદ્યમાન નથી, જે ૧૯મા સૈકાના પ્રારંભનો હોય. શહેર બહારના પરા વિસ્તારમાં ૪૦૦ વર્ષ અગાઉનાં મોટા ભાગનાં દેરાસરો જેમ નષ્ટ થઈ ગયાં છે, તેમ ઉપાશ્રયો પણ નષ્ટ થઈ ગયા હોવા જોઈએ. રાજનગરનાં જિનાલયો હાજા પટેલની પોળનો ઉપાશ્રય આજે વિદ્યમાન છે તેવા ઉપાશ્રયોમાં હાજા પટેલની પોળનો ઉપાશ્રય સૌથી જૂનો હોવાનું માલૂમ પડે છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. ‘વીરવંશાવલી’ માં ઉલ્લેખ છે કે, ઉપાધ્યાય નેમિસાગર ગણિવરે સં. ૧૬૭૧ના વૈ શુ. ૩ ને દિવસે અમદાવાદમાં હાજાપટેલની પોળમાં ચતુર્વિધ સંઘની વચ્ચે આચાર્ય વિજયસેન સૂરીશ્વરની પાસે પોતાના પાંચ બોલના પટ્ટાથી વિરુદ્ધ વર્તન કર્યાનો મિચ્છામિ દુક્કડમ્ આપ્યો. સં ૧૬૮૧ના પ્ર ચૈ સુ॰ ૯ના રોજ અમદાવાદના કાલુપુરના જૈન ઉપાશ્રયમાં તપાગચ્છના બંને પક્ષોના મુનિવરોનું મુનિસંમેલન મળ્યું હતું. તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિ, બીજા નવા આચાર્ય વિજયઆનંદસૂરિ તથા બીજા ગીતાર્થોએ આ મુનિસંમેલનમાં એક ઠરાવ કર્યો હતો કે મહોપાધ્યાય મુનિસંમેલનવાળો ધર્મસાગર ગણિવરનો ગ્રંથ ‘સર્વજ્ઞશતકસટીક' અપ્રામાણિક છે. મુનિસંમેલનવાળો કાલુપુરનો આ ઉપાશ્રય એ હાજા પટેલની પોળનો આજે જે વિદ્યમાન ઉપાશ્રય છે તે હોવાનો સંભવ છે. હાજા પટેલની પોળના ઉપાશ્રયમાં સં. ૧૭૦૦ના અષાઢ માસમાં ઉપાધ્યાય સમયસુંદર મહારાજજીએ ‘તીર્થભાસ છતીસી' નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં જુદાં જુદાં તીર્થોનાં વર્ણનો આવે છે. હાજા પટેલની પોળનો ઉપાશ્રય ‘પગથિયાના ઉપાશ્રય' તરીકે પણ જાણીતો છે. આજે એ ઉપાશ્રયને ‘સંવેગી ઉપાશ્રય' તરીકે પણ ઓળખવામાં આવે છે. હાજા પટેલની પોળમાં ઘણી પોળોનો સમાવેશ થાય છે. રામજી મંદિરની પોળ, શાંતિનાથની પોળ, ગલામનજીની પોળ, પીપરડીની પોળ, ખારાકૂવાની પોળ. ઉપરાંત, આજે રીલીફરોડ પરની પાંછીયાની પોળ તેનો પણ અગાઉ હાજા પટેલની પોળના વિસ્તાર તરીકે ઉલ્લેખ થતો હતો. ઉપરાંત, રીલીફ રોડ પરના હાજા પટેલની પોળના એક છેડાથી બીજો છેડો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy