SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૫૯ પાર્શ્વનાથનાં અલગ-અલગ જિનાલય હતાં ? તે અંગે વધુ સંશોધનની જરૂર છે. ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય જિનપ્રાસાદ અંગે પુસ્તકમાં અન્ય સ્થળે વિગતવાર વિશેષ નોંધ રજૂ કરવામાં આવેલી છે.’ હેબતપુર/હેબદપુર/હબદિપુર આજે થલતેજ ગામના કેટલાક વિસ્તારને હેબતપુરના નામથી સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવે છે. આ હેબતપુર ગામ અને આ હેબતપુર પરું બંને એક જ હશે કે જુદાં જુદાં ? તેનું વધુ સંશોધન કરવું જરૂરી છે. “જૈન પરંપરાનો ઇતિહાસ” ભાગ-૩માં ત્રિપુટી મહારાજ હેબતપુરને સિકંદરપુર, બીબીપુર વગેરેની નજીક દર્શાવે છે. તેથી હેબતપુરનું આજનું સ્થાન ચોક્કસપણે નક્કી થઈ શકતું નથી. પરંતુ, કડવા મતના શ્વેતાંબર જૈનોએ મોટાં જિનાલયો ત્યાં બંધાવ્યાં હતાં અને જૈનોની મોટા પ્રમાણમાં વસ્તી હતી. હેબતપુરમાં ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય હતું. હેબતપુરનાં અન્ય નામોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. હબતપુર, હેબતપરુ વગેરે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં ચંદ્રપ્રભુના આ જિનાલયનો ઉલ્લેખ સં૧૬૬૨માં થયેલો છે. સં. ૧૬૭૭ના ફાગણ સુદ-૧૧ના દિવસે હેબતપુરમાં શાહ કલ્યાણે ભગવાન અભિનંદનસ્વામીનું જિનાલય કરાવ્યું. તેમાં ૧૭ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ઉપરાંત, અભિનંદન ભગવાનનું “પ્રભુ પ્રણમું રે” સ્તવન પણ બનાવ્યું. સં. ૧૬૦૨માં અમદાવાદ પાસેના હેબતપુરના “બ્રહ્મમત'ની શરૂઆત થઈ તેવો ઉલ્લેખ પણ મળે છે. શાતેજપાલે સં. ૧૬૮૩માં પાંચ આંગળની ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેણે અમદાવાદના પાસેના હેબતપુરના ભગવાન ચંદ્રપ્રભુના જિનાલયમાં બેસાડી હતી. તેમજ શા. કલ્યાણજીએ પોતાના તરફથી ૧૭ આંગળની ભગવાન વિમલનાથની પ્રતિમા ભરાવીને હેબતપુરના ભગવાન અભિનંદન સ્વામીના જિનાલયમાં બેસાડી હતી. અહિમદપુરિઅકમીપુર/અહમદપુર અહમદપુર સિકંદરપુર પાસે હતું તેવો ઉલ્લેખ મળે છે. શેખ પીર એ મુહમ્મદ ઘૉસના શિષ્ય હતા. એમની કબર અમદાવાદની બહાર અહમદપુરમાં છે એમ વિગતો “મિરાતે અહમદી'માંથી મળે છે. અહમદપુર જુદું પડ્યું હતું. એ જાણવા માટે આ ઉલ્લેખ જરૂરનો છે. ઉપરાંત, અહમદપુર અમદાવાદની બહાર હતું. તે આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે. અહમદપરામાં આદિનાથ ભગવાનનું એક બાવન જિનાલય હતું. આચાર્ય વિજયહીરસૂરિએ સં. ૧૬૨૮ના ફાગણ સુદ ૭ને સોમવારે અમદાવાદના અહમ્મદ પરામાં શેઠ મૂલાશાહે કરાવેલા પદવી મહોત્સવમાં વિજયસેનસૂરિએ આચાર્ય પદવી આપી તથા છ અન્ય ગણિવરોને પંન્યાસપદવી આપી હતી. શેઠ મૂલાશાહ અમદાવાદના અહમ્મદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy