SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૭૧ અહીં પધરાવવામાં આવેલું છે. આ સંભવનાથની ધાતુપ્રતિમા પરનો લેખ નીચે મુજબ છે : સંવત ૧૭૦૬ વર્ષે જેઠ વદિ ૩ ગુરૌ વિજયાનંદસૂરિ વિજયરાયે દોશી સવા ભાર્યા મતાં સુત દો. હરિઆ ભાર્યા પૂતલી સુત દોલહુઆ ભાર્યા બાઈ ચાંપલદે સુ દો. કેસવ ભાર્યા કરમાદે સુત દો. મોહનદાસેન ભાર્યા મનરંગદે સુત દોઅમરચંદ યુનેન શ્રી સંભવનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ભટ્ટારક શ્રી. ૫ શ્રી વિજયાણંદસૂરિ વિયરાયે આચાર્ય શ્રી વિજયરાજભિઃ શ્રેયસ્તુ // સ્થંભન પાર્શ્વનાથના પ્રાચીન, ચમત્કારિક અને પ્રગટ પ્રભાવી પ્રતિમાજીના દર્શન માત્રથી પણ તમામ જીવોનું મંગલ થાય છે. સ્થંભન પાર્શ્વનાથની આ અતિપ્રાચીન, અલૌકિક પ્રતિમાજીના કારણે ખંભાત શહેરની ઓળખ “સ્તંભતીર્થ તરીકે થાય છે જે એનું માહાસ્ય સિદ્ધ કરે છે. ખારવાડો શાંતિનાથ-ઘરદેરાસર (સં. ૨૦૧૦ પહેલાં) ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલય તથા મહાવીરસ્વામી ચૌમુખજીના જિનાલયની સામે રેવાબેન મગનલાલ પાનાચંદનું મૂળનાયક શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથના મૂર્તિલેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : સંવત ૧૯૬૪ વર્ષે જયેષ્ઠ સુદિ ૫ ગુરૌ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતિય લઘુશાખીય સાઇ હરીદાસ ભાર્યા મધુરીસુત ભગવતીદાસકેન નાખ્યા સ્વદ્રવ્યવ્યયેન શ્રી અર્પિત ભક્તિ આરાધન નિમિતે શ્રી શાંતિનાથ પંચતીર્થી બિંબ કારાપિત પ્રતિષ્ઠિત વ તપાગચ્છ ભ. શ્રી હીરવિજયસૂરિપદેશ શ્રીપ શ્રી વિજયસેનસૂરિ પટ્ટે ભ૦ શ્રી ૫ શ્રી વિજયદેવસૂરિ પટ્ટ ભ શ્રી. ૫ શ્રી વિજયપ્રભસૂરેશ્વર પટ્ટ સવિજ્ઞપક્ષીય શ્રીપ શ્રી જ્ઞાન વિમલસૂરિભિઃ II” પ્રતિમાજી ધાતુના પંચતીર્થી છે. ઉપરાંત અન્ય ત્રણ ધાતુ પ્રતિમાઓ પૈકી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં ૧૪૬૮....વૈશાખ વદ ૩.....અભયચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા થયાનો લેખ છે. અન્ય એક શાંતિનાથની પ્રતિમા પર શક સં૧૪૬૨ વિ. સં. ૧૫૯૬.....વૈશાખ સુદ ૬.....સોમ થંભતીર્થ વાસ્તવ્ય શાંતિનાથ બિંબ....ધનરત્ન સૂરિભિઃ” મુજબનો લેખ છે અને પાર્શ્વનાથની પ્રતિમા પર સં૧૬૭૮નો લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શાંતિનાથજીનું આ ઘરદેરાસર માણેકચોક વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ ઘરદેરાસરમાં ધાતુની કુલ ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. આ ઘરદેરાસર બંધાવનાર તરીકે શેઠ મગનલાલ પાનાચંદનો ઉલ્લેખ થયો છે. દેરાસરનો વહીવટ તે સમયે શેઠ પરસોત્તમદાસ મગનલાલ હસ્તક હતો અને દેરાસરના મકાનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy